Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 24
________________ તાજું દૂધ તરત જ નથી જામતું એ બાબતમાં મારી પાસે કોઈ ફરિયાદ નથી. જમીનમાં વાવેલું બીજ તરત ઊગતું નથી એ બાબતની મને કોઈ વ્યથા નથી. પેટમાં નાખેલો ખોરાક તરત પચતો નથી એ બાબતનો મને કોઈ અસંતોષ નથી. આજે જ ખોલેલી દુકાન તરત નફો દેખાડતી નથી એની મને કોઈ વેદના નથી પણ, કરેલા ધર્મનું ફળ મને તરત મળતું નથી એની મને ભારે વેદના અને વ્યથા છે. બુદ્ધિની આ અલ્પતા હશે કે વિકૃતિ ? ET દૂધ મને મોળું લાગે છે ત્યારે એને સ્વાદિષ્ટ બનાવવા હું દૂધનું=', પ્રમાણ નથી વધારતો પણ એમાં સાકરનું પ્રમાણ વધુ ઉમેરું છું. ' બજારમાં જ્યારે મંદી અનુભવાય છે ત્યારે હું પુરુષાર્થ વધારું છું પણ ધર્મ કે પુણ્ય વધારવાનું મને સૂઝતું જ નથી. કારણ ? મને. સમજ જ નથી કે પુણ્યની મંદીથી જ બજારમાં મંદી આવે છે !'

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102