Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 25
________________ સાકર ગમે તેટલા સમય સુધી પડી રહે છે, એમાં કડવાશ પેદા નથી જ થતી. માખણ ગમે તેટલા સમય સુધી પડ્યું રહે છે, એનામાં પથ્થરની કઠોરતા નથી જ પેદા થતી. પરંતુ સુખ ? સમય પસાર થાય છે, એના પ્રત્યેનું આકર્ષણ ઘટતું જ જાય છે. શબ્દો બદલાય છે, સુખની અનુભૂતિમાં કડાકો બોલાવા જ લાગે છે. સંયોગો બદલાય છે, સુખ કડવું લાગવા જ માંગે છે. આવા તકલાદી સુખ પાછળ કીમતી જીવન હોમી દેવાનું? ઊંઘ જેવી એક નાનકડી ચીજ પણ હું મારી મેળે લાવી શકતો નથી. કાં તો એ આવે છે અને કાં તો એ નથી આવતી. | કમાલનું દુઃખદ આશ્ચર્ય તો એ છે કે હું આટલો બધો કમજોર હોવા છતાં આજે ય એમ માનીને જીવી રહ્યો છું કે ‘આપણે તો પથ્થરમાંથી ય પાણી પેદા કરી શકીએ છીએ !' બાલિશતા આનું જ નામ ને ?

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102