Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 47
________________ શરીરની એક ગજબનાક ખાનદાની તમે જોઈ છે? એ વિષ્ટાને, મળ-મૂત્રને, પસીનાને, સેડાને, રસીને અર્થાતુ એક પણ પ્રકારના કચરાને સંઘરતું નથી. સમય થાય છે અને બહાર ફેંકી જ દે છે. પણ આની સામે મન કેવી બદમાસી કરતું રહે છે એ ખ્યાલમાં છે ? એ તમામ પ્રકારના કચરાને - ક્રોધને અને લોભને, વાસનાને અને માયાને, અભિમાનને અને વૈરને - સંઘરતું જ રહે છે. જીવન સમાપ્ત થઈ જાય છે પણ એ કચરાને છોડી દેવા એ તૈયાર થતું જ નથી ! શબ્દકોશ [ડિક્સનરી]માં જે શબ્દોને સ્થાન નથી અપાયું એ શબ્દોને મારે મારી જીભ પર સ્થાન નથી જ આપવું” આવો મેં નિર્ધાર તો કર્યો પણ મને કહેવા દો કે પ્રભુની સ્તુતિઓ બોલવામાં સફળ બનતો હું ગાળો ન જ બોલવાની બાબતમાં નિષ્ફળ જ રહ્યો છું. આજે ખ્યાલ આવે છે કે સમ્યક્ના સેવન કરતાં ય ગલતનો ત્યાગ કેટલો કઠિન છે ?

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102