Book Title: Shikhar Sathe Vato
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 18
________________ મકાન સાથે જીવનારો માણસ મકાન માટે નથી જ જીવતો. ભોજન સાથે જીવનારો માણસ ભોજન માટે નથી જ જીવતો. વસ્ત્રો સાથે જીવન જીવનારો માણસ વસ્ત્રો માટે જીવન નથી જ જીવતો પણ કરુણતા માણસના જીવનમાં એ સર્જાઈ છે કે એ પૈસા સાથે જીવન નથી જીવતો પણ પૈસા માટે જ જીવન જીવી રહ્યો છે. ‘સાથે’નું સ્થાન જ્યારે ‘માટે' લઈ લે ત્યારે જીવનમાં કેવી અરાજકતા વ્યાપી જાય એ જોવું હોય તો આજના ધનલંપટોને જોઈ લેવા જેવા છે. સંગ તેવો રંગ' આ કહેવતને મેં સાચે જ ખોટી પાડી દીધી છે. વરસોથી હું પ્રભુપૂજા કરી રહ્યો છું, પ્રભુભક્તિનો રંગ મને નથી જ લાગ્યો. વરસોથી હું પ્રવચનશ્રવણ કરી રહ્યો છું, પ્રવચનોનો રંગ મને નથી જ લાગ્યો. વરસોથી હું મુનિ ભગવંતોનાં દર્શન કરી રહ્યો છું, મુનિજીવન મારા આકર્ષણનું કારણ નથી જ બન્યું! શું મારી છાતી પોલાદની બનેલી હશે? ૬૮

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102