Book Title: Shantinath Charitra Chitra Pattika
Author(s): Sheelchandravijay
Publisher: L D Indology Ahmedabad
View full book text
________________
જૈન ચિત્રશૈલીનું પૃથફ અસ્તિત્વ આજે પશ્ચિમ ભારત તરીકે ઓળખાતા પ્રદેશમાંથી ઉપલબ્ધ થયેલી, ઈ. ૧૧મા શતકથી લઈને ૧૬મા શતક પર્યાની, તાડપત્ર તથા કાગળ ઉપર લખાયેલી સચિત્ર હાથપોથીઓ, વસ્ત્રપટો તેમ જ કાષ્ઠપટ્ટિકાઓમાં જોવા મળતી ચિત્રશૈલીના નામકરણ પરત્વે, ચિત્રકલામર્મજ્ઞોમાં ઘણે મતભેદ પ્રવર્તતે આવ્યા છે. આ ચિત્રશૈલી મુખ્યત્વે, જૈન ધર્મ સાથે સંકળાયેલ “કલ્પસૂત્ર વગેરે ધર્મગ્રંથિના પોથી ચિત્રોમાં ઉપલબ્ધ છે. આ ચિત્રો, શરૂઆતમાં તેમ જ મહદંશે જૈન ગ્રંથોમાંથી મળી આવ્યાં હોવાથી, આરંભમાં તે ચિત્રોની શૈલી “ જૈન શૈલી હેવાનું નક્કી થયું હોવા છતાં, પાછળથી, “બાલગોપાલ સ્તુતિ”, દુર્ગાસપ્તશતી, ” “વસંત વિલાસ' વગેરે જૈનેતર સાંપ્રદાયિક તેમ જ શૃંગારરસપોષક ગ્રંથોમાં તે જ પ્રકારનાં ચિત્રો–અલબત્ત, ૧પમા-૧૬મા શતકનાં-મળી આવતાં, આ ચિત્રોની શૈલીને “જૈન શૈલી ? ગણાવવામાં કલાસમીક્ષકને સાંપ્રદાયિક્તાને ભય લાગ્યો, તેથી તેમણે આ શૈલીને “ગુજરાત શૈલી ? અથવા “પશ્ચિમ ભારતીય શેલી ? એવાં નામોથી ઓળખાવી. ત્યાર પછી આ શૈલી “ અપભ્રંશ શૈલી, ” “ મારુ-ગુજ૨ શૈલી, ૨ “ ગુજરાતની જનાશ્રિત ચિત્રકલા ૩ વગેરે વિવિધ નામોથી ઓળખાવાતી રહી. પણ એનું એક અને સર્વસમ્મત નામ હજી સુધી સ્થિર થયું નથી. આમ છતાં, આજે સામાન્યત: આ શૈલીને “પશ્ચિમ ભારતીય શૈલી' તરીકે ઓળખવામાં આવે છે.
હું આ શૈલીને “જન શૈલી' તરીકે ઓળખાવવાના પક્ષમાં છું. આના સમર્થનમાં અહીં કેટલાક મુદ્દાઓ તથા સંદર્ભો નોંધીશ.
આ ચિત્રશૈલીને “જૈન શૈલી તરીકે ન સ્વીકારવા પાછળ, મારી સમજ પ્રમાણે, વિદ્વાનની દષ્ટિએ, બે બાબતો કારણભૂત છે : (૧) કેઈ કલાને કેઈ ધર્મસંપ્રદાયનું નામ આપવું કે તેના નામ સાથે જોડવી, તેમાં ઔચિત્ય નથી; (૨) આ શૈલીનાં ચિત્રો ગૂજરાત સિવાયના અન્ય વિવિધ પ્રદેશોમાંથી પણ મળ્યાં છે, અને જેન ન હોય તેવાં પુસ્તકમાંથી પણ તે મળી આવ્યાં છે, માટે પણ આ શૈલીને “જેન શૈલી ” નામ આપવું ઉચિત નથી.
આ બન્ને બાબત વિશે ક્રમશ: વિચાર કરીએ :
૧. “ કલાને કોઈ ધર્મસંપ્રદાય સાથે જોડવામાં ઔચિત્ય નથી > એ વિચાર આજના લોકશાહી તથા બિનસાંપ્રદાયિક સમાજના વાતાવરણમાં સહુ કેઈને આવે એ ખૂબ સહજ છે, અને તેને અસ્વીકાર કરવાની હિંમત પણ ભાગ્યે જ કોઈ દાખવી શકે. પરંતુ એને અર્થ એ નથી કે વાસ્તવિકતા કે તને પણ અસ્વીકાર કે ઇન્કાર કરીને આગળ ચાલવું. આજને સમાજસંદર્ભ ગમે તે હેય. પણ તેને જ માધ્યમ કે માપદંડ બનાવીને આપણે મધ્યકાલીન સમાજને, ત્યારનાં ધોરણાને, વાતાવરણને કે કલા અને સાહિત્ય જેવા પદાર્થોને મૂલવીએ-માપીએ, તો તે બરાબર ન ગણાય. આપણે મધ્યકાલીન ઇતિહાસ તપાસીએ, તે આપણને સહેજે જણાઈ આવશે કે “ધર્મ ? એ મધ્યકાલીન સમાજને અને વાતાવરણનો પ્રાણ હતો; અને એ કાળની પ્રત્યેક વ્યક્તિ કે સમાજનું પ્રત્યેક અંગ, પોતે અપનાવેલા ધર્મસંપ્રદાયની કેમ ચઢતી કળા થાય ને તેનું સારું દેખાય, તે માટે સતત પ્રયત્નવંત, ગોગશીલ અને અને સભાન રહેતું. એ સમાજના જીવનમાંથી “ધર્મ ને દૂર કરીશું, તે એ સમાજ નિષ્ણાણ દીસરશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132