Book Title: Shantinath Charitra Chitra Pattika
Author(s): Sheelchandravijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 65
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપત્રિકા હાવભાવ ઉપરથી કળી શકાય છે, વેદનાથી વિહળ બનીને એણે બેઉ હાથની મૂઠીઓ વાળી દીધી છે. એની આંખમાં ભય અને પીડા ડોકાય છે. એની આવી ભયાકુળ આકૃતિ દોરીને, પ્રેક્ષકના હૈયામાં કસણ અને અનુકંપાને ભાવ જગાડવામાં ચિત્રકારે ધારી સફળતા પ્રાપ્ત કરી છે, એમ કહેવું જોઈએ, છેક છેવાડે નીલવર્ણની, લાલ વસ્ત્રો-પહેરેલી, મુગટધારી એક આકૃતિ ઊભી છે. તે છે ચમરે, મળે તે અનન્તવીર્યના પિતા ( સ્તિમિતસાગર) છે. ડાબા હાથમાં પકડેલું પિતાનું “પરિઘ નામનું વિશિષ્ટ આયુધ ખભે ટેકવીને તે ઊભે છે. જમણે હાથ ઊંચા કરીને તે પેલાં નરકરક્ષક પરમાધામી દેને, અનન્તવીર્યને અપાતી યાતનાઓ હળવી ને સહ્ય થાય, તેમ કરવા સૂચવી રહ્યો છે. પ્રથમ કાષ્ઠપદ્રિકાના પૃષ્ઠભાગના ઉત્તરાર્થના અને એની સાથે જ પ્રથમ કાઠપટ્ટિકાનો પણ પરિચય અહીં પ થાય છે. હવે આપણી સામે બીજી કાષ્ઠપટ્ટિકા છે. આ કાષ્ઠપટ્ટિકા પણ અગ્રભાગ અને પૃષ્ઠભાગ એમ બે મુખ્ય વિભાગોમાં અને અગ્રભાગમાં પણ પૂર્વાધ તેમ જ ઉત્તરાધ અને પૃષ્ઠભાગમાં એક જ એવા ત્રણ પેટાવિભાગમાં વહેંચાયેલી છે. ( ચિત્ર-૧૬) અગ્રભાગના પૂર્વાર્ધનો પ્રારંભ, એક હર્યાભર્યા અર્ધવૃક્ષથી થાય છે. અધવૃક્ષ, કાયોત્સર્ગ મુકામાં ઊભેલા મુનિ અને પછી એક નયન-મનહર આખું વૃક્ષ, વૃક્ષને માટે પશ્ચિમ ભારતની મધ્યકાલીન જૈન ચિત્રશૈલીમાં, અમુક ચોક્કસ અને સુશોભિત આકાર-પ્રકાર નક્કી થયેલો જણાય છે. કાષ્ઠફલક હોય કે કાગળ, જ્યાં પણ વૃક્ષ આલેખવાનું આવે ત્યાં, મહદંશે આવા નિશ્ચિત આકાર અને સ્વરૂપનાં જ વૃક્ષ હોવાનાંએનો અર્થ એ થઈ શકે કે, આ શિલી મનુષ્યાકૃતિઓ પરત્વે, તેમાંની દોઢ આંખે કે લટકતી આંખો જોતાં, વાસ્તવલક્ષી બની શકે છે, પણ વૃક્ષ કે એવા બીજા પદાર્થોને સંબંધ જ્યાં આવે છે ત્યાં, આ ગલીમાં, વાસ્તવલક્ષિતા (Reality) કરતાં વધુ મહત્ત્વ કલાત્મકતાને અપાયું હોય એમ લાગે છે. કાયોત્સર્ગ મુદ્રાએ ઊભેલા મુનિ તે અપરાજિત મુનિ છે. કાયોત્સર્ગ મુદ્રાનું લક્ષ્ય અન્તર્મુખતા અને સ્વરૂપમાં લીન થવા માટેની સાધના છે. એ સાધના, સંસારથી અલિપ્ત નિર્જન સ્થાનમાં જ સુપેરે થઈ શકે, એ સમજાવવા માટે જ હોય તેમ, ચિત્રકારે અહીં, મુનિની બન્ને તરફ વૃક્ષે કયાં છે. તેમાં જે પ્રારંભે અંકાયેલા અર્ધભાગને અણદીઠ નેપથ્યમાં રાખીને, અહીં માત્ર આ એક બે જ વૃક્ષ નથી, કિન્તુ વૃક્ષોની માટી બધી હારમાળાથી ખીચોખીચ ઉપવન કે અરણ્ય છે, એવું સમજાવવાને ચિત્રકારને આશય અછત રહેતો નથી. મુનિની પછીના આખા દેખાતા વૃક્ષને પણ ઉપવનનું પ્રતીક જ સમજવાનું છે. કાયોત્સર્ગમુદ્રા એ શાસ્ત્રીય પરિભાષામાં એક પ્રકારની પ્રતિમા છે. આને સરળ અર્થ એ થાય કે કાયોત્સર્ગમાં રહેલ મુનિએ એ હદ સ્થિરતા અને નિષ્કપતા રાખવી જોઈએ કે જેને લીધે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132