Book Title: Shantinath Charitra Chitra Pattika
Author(s): Sheelchandravijay
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 98
________________ શાંતિનાથચરિત્ર-ચિત્રફ્રિકા ૫૭ આ બાબતેા પારિભાષિક હાવા છતાં, જે રીતે આપણે આ ચિત્રા અને ચિત્રકથાના પરિચય મેળવવા છે—મેળવી રહ્યા છીએ, તે રીતે, આટલી હકીકતાની સ`ક્ષિપ્ત માહિતી મેળવવી આવશ્યક છે. ( ૧૧ ) તીર્થંકર હોવાને લીધે ચક્રવતી` શાન્તિનાથ, રાગ, દ્વેષ અને માહુને જીતનારા જિનાના ધ શાસનના સાભૌમ સ્વામી હતા, અને તે જ કારણે, ધ્રુવે અને મનુષ્યાએ તેમની સાથે કયારે-કયારે શી રીતે વવું, તે અંગેના અનેક નિયમા પણ હતા. પરાપૂર્વથી ચાલ્યા આવતા અને જૈન શાસ્ત્રોમાં વર્ણવાયેલા આવા કેટલાક નિયમોની સ્થૂલ રૂપરેખા આપણે અગાઉ નોંધી લીધી છે. એમાં એક નિયમ (આજની પિભાષામાં પ્રેાટાકાલ) એવા પણ હતા કે, ગૃહસ્થ દશામાં રહેલા તીથ કરને, નવ લાકાંતિક ધ્રુવા, ચાગ્ય સમયે, સંસારના ત્યાગ કરવાના અવસર પાકી ગયા હૈાવાની જાણ કરવા માટે આવે. કેમ કે તી...કર, જો સ'સારના ત્યાગ કરીને, પાછલા ભવાની સાધનાથી પણ જેના ક્ષય ન થયા હોય તેવાં ચીકણાં કર્માંના, કઠોર આત્મસાધનાના બળે સથા નાશ કરે, અને એમ કરીને હથેલીમાં મૂકેલાં જળબિંદુની જેમ આખા સચરાચર વિશ્વને જોવા-જાણવાનું જ્ઞાન-સામર્થ્ય' એટલે કે સજ્ઞતા પ્રાપ્ત કરે, તા જ તેઓ સહિતાય અને સજીવસુખાય ઉપદેશાદિ પ્રવૃત્તિ નિર્દોષ રીતે કરી શકે, અને એ પ્રવૃત્તિ તેઓ કરે તા જ 'તુમાત્રનું કલ્યાણ થવુ શકય અને. કોઈ પણ જીવ તીર્થંકર તરીકે જન્મ્યા, એટલે એનુ... કલ્યાણ તા હવે રૂપિયાના સાળ આના જેટલુ” નિશ્ચિત અને અક્રુર હાય છે. પરંતુ, ખરેખર તા, એના એ અંતિમ જન્મ, વિશ્વની સમગ્ર પ્રાણીજાતિઓના કલ્યાણ માટે થયા હાય છે. એના અવતાર અને જન્મથી માંડીને નિર્વાણ સુધીની એક એક પ્રવૃત્તિ અને પ્રત્યેક જીવન-ઘટના, સીધી કે આડકતરી રીતે પણ, જંતુમાત્રના હિતનું જ કારણ હોય છે, આ અર્થાંમાં તી‘કરનું જીવન સાજનિક મિલકતસમું-જીવમાત્રનું પરમ ઉપકારક અની રહે છે. આ વાતની પ્રતીતિ કરાવવા માટે જ હોય તેમ, લેાકાંતિક ધ્રુવા વિનંતિ કરીને ચાલ્યા જાય તે પછી તરત જ, તીર્થંકર થનાર વ્યક્તિ, એક વર્ષી સુધી હરરાજ, કરા સેાનામહાશે અને અન્ય અનેક વસ્તુઓનું દાન, સ્વહસ્તે, જનસાધારણને આપે છે. આ દાન લઈને સ`દેશ, ધમ અને જાતિના અગણિત મનુષ્યા પાતાનું દારિદ્રય ફેડે છે. વર્ષીદાનની એક વરસની અવિધ પૂરી થતાં જ, તીર્થંકરની દીક્ષાયાત્રાની તૈયારીઓ શરૂ થાય છે. ઢવા અને મનુષ્યો વડે મનાવવામાં આવેલી જુદી જુદી શિખિકાઓ-પાલખીઓ, દૈવીપ્રભાવથી એકમેકમાં સમાઈ જાય છે અને તેમાં, સ્નાનાદિ ક્રિયા કરી, અલંકૃત શરીરવાળા તીર્થંકર બિરાજે એટલે તે પાલખીને દેવેન્દ્રો, ઢવા તથા મનુષ્યા ક્રમશ: ઉપાડે અને એ રીતે અસ`ખ્ય દેવ-મનુષ્યા વડે પિરવરાયેલા તીર્થંકર નગરની મહાર-ઉદ્યાનમાં જઈ, વસ્ત્રાભૂષા ઊતારી, સ્વહસ્તે પંચમુષ્ટિ કેશલેાચ કરીને દીક્ષા અંગીકાર કરે છે. દરેક તીર્થંકર દીક્ષા લેવાના દિવસે કાંઇક ને કાંઈક તપ કરે જ, એ આપણે અગાઉ જાણી લીધું છે. ભગવાન શાન્તિનાથે પણ દીક્ષાદિને છઠ્ઠનુ... એટલે નિજળા એ ઉપવાસનુ તપ કર્યું હતું. એમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132