Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 13
________________ સમયસાર : આત્મખ્યાતિ એમની યુગપ્રવર્તક અસાધારણ અલૌકિક મહાટીકાઓથી મહાન કુંદકુંદાચાર્યનો મહિમાતિશય જગતમાં વિસ્તાર્યો, એટલું જ સ્વ દિવ્ય આત્માનો મહિમાતિશય વિસ્તાર્યો છે. શ્રી કુંદકુંદાચાર્ય પ્રણીત પંચાસ્તિકાય-પ્રવચનસાર-સમયસાર એ પરમાગમ પ્રસ્થાનત્રયી' તરીકે સુપ્રસિદ્ધ છે, આ ત્રણે શાસ્ત્ર પર અમૃતચંદ્રાચાર્યજીની અલૌકિક મહાટીકા વિશ્વવિખ્યાત છે. અત્ર તો સમયસાર અંગે વક્તવ્ય પ્રસ્તુત છે, તે હવે આ પ્રસ્તાવનામાં સંક્ષેપમાં કરશું. આ પરમાગમ સમયસાર પ્રત્યે અમૃતચંદ્રજીનો કેવો પરમ પરમાર્થ પ્રેમ પ્રવાહ ઉલ્લસ્યો છે, તેનું આપણને “આત્મખ્યાતિ' મહાટીકામાં દર્શન થાય છે. અત્રે એક સૂત્રનિબદ્ધ પરમાર્થગંભીર પરમાર્થઘન સળંગ એક જ વાક્યમાં તે તે ગાથાનો સંપૂર્ણ સમગ્ર ભાવ વ્યક્ત કરી દેવો, તે અમૃતચંદ્રજીનું અપૂર્વ આત્મપરાક્રમ દાખવે છે. ખરેખર ! આવી એક સૂત્રનિબદ્ધ સૂત્રાત્મક મહાટીકા અખિલ ભારતમાં અજોડ અને અદ્વિતીય છે. અત્ર પદે પદે જ્યાં આત્માની ખ્યાતિ (પ્રસિદ્ધિ-પ્રકૃષ્ટ સિદ્ધિ) કરી છે એવી આ “આત્મખ્યાતિ’ ટીકા ખરેખર ! આત્મખ્યાતિ જ છે. આવી યથાર્થનામાં “આત્મખ્યાતિ' નામથી પરમ પ્રખ્યાતિ પામેલી, પરમ પરમાર્થ ગંભીર અદ્વિતીય અનન્ય સૂત્રમય ટીકા આ પરમ તત્ત્વદ્રા અમૃતચંદ્રજીએ સોળે કળાથી પૂર્ણ અનન્ય અદ્દભુત તત્ત્વકળાથી ગૂંથી છે અને તેમાં પણ, આ પરમ અધ્યાત્મરસપરિણત પરમ ભાવિતાત્મા મહાત્માએ પરમ આત્મભાવના પરમ ઉલ્લાસથી, શુદ્ધ ચૈતન્ય-અમૃતરસની અમૃત સરિતા વહાવતી અપૂર્વ કળશકાવ્ય રચના કરી, આ “આત્મખ્યાતિની, આત્મખ્યાતિમાં અનંતગુણવિશિષ્ટ અભિવૃદ્ધિ કરી છે - એવું આ પરમ આત્માનુભવી દિવ્ય દ્રષ્ટા કવિ-ગ્નષ્ઠાની અમૃતાનુભવ પ્રસાદી રૂપ આ કળશકાવ્ય સર્જન છે. પરમર્ષિ કુંદકુંદાચાર્યજીની યુગપ્રવર્તક (Epoch-making) કૃતિઓ પ્રત્યે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીનો કેવો અનન્ય પરમાર્થ પ્રેમ છે, તે તો તે તે ગ્રંથોની તેમની યુગપ્રવર્તક (Epoch-making) પરમ પ્રતિભાસંપન્ન અનુપમ અદ્વિતીય પરમ અમૃત ટીકાઓથી તેમણે જે મહાનું કુંદકુંદાચાર્યજીનું અને તેમના મહાનું ગ્રંથોનું અનંતગુણ વિશિષ્ટ ગૌરવ વધાર્યું છે - કર્યું છે, તે પરથી જગતુ વિશ્રત છે અને તેમાં પણ આ ગ્રંથરાજ પ્રત્યેનો એમનો પરમ પ્રેમસિંધુ એટલો બધો ઉલ્લાસયમાન થઈને છલકાયો છે, કે તે આ પરમ આત્માનુભવી (મહાકવિ-બ્રહ્મા પરબ્રહ્મ સ્વરૂપ) પરમાર્થ મહાકવીશ્વરના હૃદય-હૃદ્રમાંથી અનુભવોલ્ગાર રૂપ સહજ સ્વયંભૂ સ્રોત રૂપે નીકળેલી અપૂર્વ કળશ કાવ્યની અમૃત સરિતા પરથી સહૃદય સંવેદક સંતજને ગીર્વાણ વાધયમાં યુગપ્રવર્તિની “આત્મખ્યાતિનો ગદ્ય ભાગ માત્ર રચીને એ આર્ષદ્રષ્ટા પરમર્ષિનો આત્મા સંતોષ ન પામતાં, એમણે હૃદયમાં ન માતા પરમ આત્મભાવના અમૃતાનુભવ ઉલ્લાસથી આ અનુપમ “સુવર્ણમય “કળશ” કાવ્યોનું હૃદયંગમ સર્જન કર્યું છે, કે જે આ પરમ નિસ્પૃહ મહામુનિની કીર્તિના અનુપમ “સુવર્ણ કળશ” સમાન સદા ઝળહળી રહેલ છે ! અને જેનો દિવ્ય પ્રકાશ દેશ-કાળ-જાતિના બંધનથી અનવચ્છિન્નપણે દૂર દૂરથી આકર્ષીને સંતજનોને દિવ્ય અનુભવામૃત રસાસ્વાદમાં નિમજ્જન કરાવી રહેલ છે ! કોઈ મંદિર હોય તેની પૂર્ણાહુતિ થતાં શિખર પર કોઈ સુવર્ણ કળશ ચઢાવે, તેમ આ સમયસાર શાસ્ત્ર રૂપ પરમ તત્ત્વજ્ઞાનનું ઉંચામાં ઉચું શિખર છે - મેરુ શિખર છે ને તેના પર અનન્ય તત્ત્વમંથનના નવનીત રૂ૫ આત્માનુભૂતિમય પરમ અમૃતરસથી ભરેલા આ અમૃત સુવર્ણ કળશ કાવ્યો ચઢાવી અમૃતચંદ્રજી યથાર્થનામાં “અમૃત ચંદ્ર’ થયા છે !

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 1016