Book Title: Pratima Shatak Part 04
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 364
________________ ૧૫૦૭ પ્રતિમાશતક | શ્લોકઃ ૯૮ ટીકાર્ય : નરહિત ! પોપતિ, હે નરહિત !=ણે મનુષ્યના હિતને કરનારા ! તે તારી પ્રતિમા, સંપ્રતિક દર્શનભવ્ય ભાવનાના પ્રકર્ષકાલમાં, મારામાં સદાન દયાનું આધાર કરે છે અભયદાન સહિત દયાવૃત્તિને પોષણ કરે છે અર્થાત્ ષકાયના પાલનના પરિણામથી યુક્ત ભાવપ્રાણના રક્ષણરૂપ દયાની વૃદ્ધિ કરે તેને અનુરૂપ એવી, દયાને તારી પ્રતિમા પોષણ કરે છે, એમ સંબંધ છે. ભગવાનની પ્રતિમા અભયદાન સહિત દયાવૃત્તિને પોષણ કેમ કરે છે ? તેમાં યુક્તિ બતાવે છે – જ્ઞાનોર્ષસ્થ સ્વરૂપસ્વાતિ, પરમેશ્વરના અનુગ્રહથી જનિત એવા જ્ઞાનના ઉત્કર્ષરૂપ નિશ્ચય ચારિત્રનું તદુભયસ્વરૂપપણું છે – અભયદાન સહિત દયાવૃત્તિરૂપ ઉભય સ્વરૂપપણું છે – અહી પ્રશ્ન થાય કે ભગવાનની પ્રતિમાના દર્શનથી થતો જ્ઞાનના ઉત્કર્ષરૂપ ઉપયોગ નિશ્ચય ચારિત્રરૂપ કેમ છે ? તેથી કહે છે - જ્ઞાનોત્સર્ષ માવનેવેતિ છે અને જ્ઞાનનો ઉત્કર્ષ અતિશયિત એવી ભાવનાં જ છે, એથી જ્ઞાનનો ઉત્કર્ષ નિશ્ચય ચારિત્રરૂપ છે, એમ સંબંધ છે. સ શ ? દયા કેવા પ્રકારની છે ?=ભગવાનની મૂર્તિ ગ્રંથકારશ્રીના હૈયામાં અભયદાન સહિત દયાને પોષણ કરે છે, એમ પૂર્વમાં કહ્યું, તે દયા કેવા પ્રકારની છે ? તેથી કહે છે – સ્વરસ .... તનુરૂપા, સ્વરસના પ્રસરણરૂપ ઉપાધિરહિત પ્રવર્ધમાન એવું જે ગુણસ્થાનક, તેને ઉચિત તેને અનુરૂપ દયા છે, એમ સંબંધ છે. ભગવાનની પ્રતિમા ઉપાધિરહિત એવા પ્રવર્ધમાન ગુણસ્થાનકને ઉચિત એવી દયાનું કેમ પોષણ કરે છે ? તેમાં હેતુ કહે છે – અનુગ્રાહ્ય ... તુન્યવૃત્તિત્વ, અનુગ્રાહ્ય યોગ્યતા અને અનુગ્રાહક યોગ્યતારૂપ બંનેનું પ્રતિમાના દર્શનથી અનુગ્રાહ્ય એવા ગ્રંથકારશ્રીની યોગ્યતાનું, અને પરમાત્માની પ્રતિમારૂપ અનુગ્રાહકની યોગ્યતાનું, તુલ્યવૃતિપણું છે–પ્રતિમાને જોનારામાં જે પ્રકારની યોગ્યતા હોય તે પ્રકારે અનુગ્રાહક એવી પ્રતિમાની અનુગ્રહ કરવાની યોગ્યતા છે. તેથી બંને સમાન રીતે વર્તે છે. પૂર્વમાં કહ્યું કે જે પ્રકારે ગ્રંથકારશ્રીમાં સ્વરસનો પ્રવર્ધમાન પરિણામ છે, તે પ્રકારે પ્રતિમા તેમનો ઉપકાર કરે છે. તે કથનની પુષ્ટિ કરવા અર્થે કહે છે – ગત વ....... તાંત્રિક, આથી જ લોકપ્રદીપપણું ચોદપૂર્વીલોકની અપેક્ષાએ તાંત્રિકો વડે વ્યાખ્યાન કરાયું નથી અથવા આથી જ લોકપ્રદ્યોતકરપણું ચૌદપૂર્વીલોકની અપેક્ષાએ તાંત્રિકો વડે વ્યાખ્યાન કરાયું છે. નોંધ :- ગત વ નોwવીપર્વ વતુર્વણપૂર્વત્નો ક્ષય વ્યાધ્યાત તત્રિવે: | પાઠ છે, ત્યાં રહ્યા છે, ત્યાં ન વ્યાધ્યાત પાઠ હોવો જોઈએ અથવા મત પર્વ નોખોતરત્વે વતુર્વણપૂર્વ7ોપેક્ષા વ્યાયાનં તાત્રિ. | એ પ્રકારે પાઠની સંભાવના જણાય છે, તે બહુશ્રુતો વિચારે.

Loading...

Page Navigation
1 ... 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432