________________
(પર) સમાધિ-મરણ ભાગ-૧
૧ ૫
અર્થ - ક્યાં મારા આત્માની મૂળ સ્વરૂપે સર્વજ્ઞ દશા અને ક્યાં ઝાડપાન જેવા એકેન્દ્રિય ક્ષુદ્ર એટલે હલકા ભવોમાં જન્મ લેવો. હવે આવા કર્મ બંઘાય તેવા ભાવથી હું કંટાળ્યો છું. હવે તો સર્વ પ્રકારના કર્મનો ક્ષય કરવો છે. વીતરાગ પુરુષોના વચનથી મને આ જાગૃતિ આવી છે. માટે હે સ્વજન કહેવાતા કુટુંબીઓ! તમે મને મારી સર્વજ્ઞદશા પ્રાપ્ત કરવામાં બધા સહાય કરો. રાગદ્વેષના ભાવોને લઈને અનાદિથી આ જીવ હણાતો આવ્યો છે, માટે તેને દુઃખથી બચાવવા સર્વે વૈરાગ્યને ઘારણ કરો. ./૧૨ના
વગર હકે ઘન-ઘરતી કો’ના હોય દબાવ્યાં કપટ કરી, તો માલિકને પાછા સોંપી કરે ખુશી બહુ વિનય ઘરી; વેર-વિરોઘ વિમુખ રહેલા પ્રતિ પણ પ્રેમ સહિત કહે :
“ભાઈ, ભેંલથી દૂભવ્યા તમને, ક્ષમા આપની પાપી ચહે.” ૧૩ અર્થ - હક વગરનું કોઈનું ઘન કે જમીન કપટ કરીને દબાવ્યા હોય તો માલિકને તે વિનયસહિત પાછા સોંપીને ખુશી કરે. વેર વિરોથથી કોઈ વિમુખ રહેલા હોય તેમના પ્રતિ પણ પ્રેમસહિત કહે કે ભાઈ, મેં તમને મારી ભૂલથી દુભવ્યા છે માટે આ પાપી આપની પાસે તેની ક્ષમા માગે છે. ૧૩
સાંસારિક ચિન્તા તર્જી શોઘે સગુરુ, મરણ-સુઘારક જે, મહાભાગ્યથી મળી આવે તો વિનયે તુર્ત ઉપાસી લે. એકાંતે ગુરુનિકટ કપટ વણ કહે અપરાઘ બઘા ભવના,
પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવાની ઘરે ભાવના એકમના. ૧૪ અર્થ - હવે સાંસારિ બધી ચિંતાઓ તજી દઈ મરણ સુધારનાર એવા સદગુરુની શોઘ કરે. જેમ શ્રી અનુપચંદ મલકચંદ ભરૂચવાળાએ પરમકૃપાળુદેવ પ્રત્યે સમાધિમરણમાં સહાયક થવાની ભાવના દર્શાવી હતી. તેમના ભાવ પ્રમાણે પાલીતાણા ઉપર ચઢતા હાર્ટએટેક આવવાથી બેઠા હતા. ત્યાં પ.પૂ. પ્રભુશ્રીજી ઉપરથી નીચે ઊતરતા મળી ગયા. પ.પૂ.પ્રભુશ્રીજીએ તેમને હે પ્રભુ હે પ્રભુની ગાથા વારંવાર બોલવા જણાવ્યું. તે બોલતા બોલતા જ તેમના પ્રાણપંખેરુ ઊડી ગયા. તેમના ભાવ પ્રમાણે યોગ પણ મળી આવ્યો. મહાભાગ્યથી આવો યોગ મળી આવે તો વિનયપૂર્વક તેની તરત ઉપાસના કરવી.
- સદ્ગુરુનો યોગ હોય તો તેમની પાસે એકાંતમાં આખા ભવમાં જે જે અપરાશ થયા હોય તે કપટ વગર બઘા કહી દેવા. તેઓ જે પ્રાયશ્ચિત્ત આપે તે એકમના એટલે ખરાભાવથી લઈને શુદ્ધ થવાની ભાવના રાખવી. ||૧૪.
સગુયોગે શક્તિ પેખી અંતપર્યત મહાવ્રત લે, અથવા ત્યાગ યથાશક્તિ ઘર મહાવ્રત ભાવે ઉર ખીલે; રોગ-વેદના વખતે ઘીરજ ઘર સમભાવે સહન કરે,
શત્રુ-મિત્ર, સંયોગ-વિયોગે નહીં અલ્પ પણ ચિત્ત ઘરે. ૧૫ અર્થ - સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થયે પોતાની શક્તિ જોઈ મરણપર્યત મહાવ્રતને અંગીકાર કરે. અથવા યથાશક્તિ ત્યાગ ગ્રહણ કરીને હૃદયમાં મહાવ્રતની ભાવના જાગૃત રાખે.
રોગની વેદના વખતે ઘીરજ ઘરી સમભાવથી તે સહન કરે. શત્રુ મિત્ર પ્રત્યે કે જે સંયોગ છે તેનો વિયોગ થઈ જશે એવા કોઈ વિકલ્પને અલ્પ પણ મનમાં ઘારણ કરે નહીં. ૧પણા