Book Title: Papni Saja Bhare Part 01 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 5
________________ ભકતામસ્તોત્રમાં કહ્યું છે કે “તુલ્ય નમસ્ત્રિભૂવનાર્તિહરાય નાથા” એટલે કે હું ત્રણ ભુવનના દુઃખને નાશ કરવાવાળા નાથ (સ્વામી) આપને અમારા નમસ્કાર હો. (૧) ઉદર્વકમાં સ્વર્ગના દેવે રહેતા હોવાને કારણે તેને સ્વર્ગ અથવા દેવલોક પણ કહેવાય છે. (૨) મધ્યભાગના લેકમાં મૃત્યુ-મરણધર્માધીન મનુષ્યો રહેતા હોવાથી તેને મૃત્યુલોક અથવા મનુષ્યલોક કહેવાય છે. તેવી જ રીતે તિર્યંચ ગતિના પશુ-પક્ષી જેવા જીવોની વસ્તીની પ્રચુરતાના કારણે તેને તિર્યલક કહે છે. વળી અસંખ્યદ્વીપ સમુદ્ર સુધી. વિસ્તરેલા તિર્યા હોવાથી પણ તેને તિલોક કહેવાય છે. અલક-અને અર્થ છે નીચે! તેને અધોલોક કહે છે.. એ ખૂબ જ નીચે સુધી ઉંડુ છે તેથી પાતાળલોકના નામથી પણ ઓળખાય છે. વળી નરકના નારકી ની વસ્તી ત્યાં હેવાથી તેને નરકલાક પણ કહે છે. લેકમાં તવ : આ લોકાકાશ પાંચ અસ્તિકાયમય છે. પાંચ અસ્તિકાયના પદાર્થોથી ભરેલો છે. જેમ અહીં ચિત્રમાં બતાવ્યું છે. (૧) જીવ-જીવાસ્તિકાય (૨) ધર્માસ્તિકાય (૩) અધમસ્તિકાય (૪) આકાશાસ્તિકાય (૫) પુદગલાસ્તિકાય જેની પ્રદેશ સમુહાત્મક મૂળભૂત સત્તા છે તે અસ્તિકાય છે. આ લેકમાં પાંચ અસ્તિકાય દ્રવ્ય પ્રસિદ્ધ છે. (૧) જ્ઞાનદર્શનાદિ ચેતના લક્ષણવાળુ-જીવાસ્તિકાય. (૨) ગતિ સહાયક દ્રવ્ય-ધર્માસ્તિકાય. (૩) સ્થિતિ સહાયક દ્રવ્ય-અધર્માસ્તિકાય. () અવકાશ-અવગાહન સ્થાનદાતા–આકાશાસ્તિકાય. (૫) પૂરણગલન સ્વભાવયુક્ત જડ પદાર્થ–પગલાસ્તિકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50