________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
(શાર્દુત્વવિક્રીડિત) "कान्त्यैव स्नपयन्ति ये दशदिशो धाम्ना निरुन्धन्ति ये धामोद्दाममहस्विनां जनमनो मुष्णन्ति रूपेण ये। दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरन्तोऽमृतं वन्द्यास्तेऽष्टसहस्रलक्षणधरास्तीर्थेश्वराः सूरयः।।"
तथा हि
(મતિની) जगदिदमजगच ज्ञाननीरेरुहान्तभ्रमरवदवभाति प्रस्फुटं यस्य नित्यम्। तमपि किल यजेऽहं नेमितीर्थंकरेशं
जलनिधिमपि दोभ्या॑मुत्तराम्यू_वीचिम्।।१४ ।। પ્રધાનવલ્લભપણું-આવું જેમનું માઇભ્ય છે, તે અત છે.
વળી એ જ રીતે (આચાર્ય દેવ) શ્રીમદ્દ અમૃતચંદ્રસૂરિએ (આત્મખ્યાતિના ૨૪મા શ્લોકમાં-કળશમાં) કહ્યું છે કે
[ શ્લોકાર્થ-] જેઓ કાન્તિથી દશે દિશાઓને ધુએ છે-નિર્મળ કરે છે, જેઓ તેજ વડ અત્યંત તેજસ્વી સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે, જેઓ રૂપથી જનોનાં મન હરી લે છે, જેઓ દિવ્યધ્વનિ વડે (ભવ્યોના) કાનોમાં જાણે કે સાક્ષાત્ અમૃત વરસાવતા હોય એવું સુખ ઉત્પન્ન કરે છે અને જેઓ એક હજાર ને આઠ લક્ષણોને ધારણ કરે છે, તે તીર્થકરસૂરિઓ વંદ્ય છે.''
વળી (સાતમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક દ્વારા શ્રી નેમિનાથ તીર્થકરની સ્તુતિ કરે છે):
[શ્લોકાર્થ-] જેમ કમળની અંદર ભ્રમર સમાઈ જાય છે તેમ જેમના જ્ઞાનકમળમાં આ જગત તેમ જ અજગત (-લોક તેમ જ અલોક ) સદા સ્પષ્ટપણે સમાઈ જાય છે-જણાય છે, તે નેમિનાથ તીર્થંકરભગવાનને હું ખરેખર પૂજું છું કે જેથી ઊંચા તરંગોવાળા સમુદ્રને પણ (-દુસ્તર સંસારસમુદ્રને પણ ) બે ભુજાઓથી તરી જાઉં. ૧૪.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com