Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 370
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] શુદ્ધોપયોગ અધિકાર [ ૩૪૩ (મંદ્રાક્રાંતા) ईहापूर्वं वचनरचनारूपमत्रास्ति नैव तस्मादेषः प्रकटमहिमा विश्वलोकैकभर्ता। अस्मिन् बंधः कथमिव भवेट्रव्यभावात्मकोऽयं मोहाभावान्न खलु निखिलं रागरोषादिजालम्।। २८९ ।। (મંદ્રાક્રાંતા) एको देवस्त्रिभुवनगुरुर्नष्टकर्माष्टकार्ध: सद्बोधस्थं भुवनमखिलं तद्गतं वस्तुजालम्। आरातीये भगवति जिने नैव बंधो न मोक्षः तस्मिन् काचिन्न भवति पुनर्मूर्च्छना चेतना च ।। २९० ।। (માતા) न ह्येतस्मिन भगवति जिने धर्मकर्मप्रपंचो रागाभावादतुलमहिमा राजते वीतरागः। एषः श्रीमान् स्वसुखनिरतः सिद्धिसीमन्तिनीशो ज्ञानज्योतिश्छुरितभुवनाभोगभागः समन्तात्।। २९१ ।। [ શ્લોકાર્થ:-] આમનામાં (કેવળી ભગવાનમાં) ઇચ્છાપૂર્વક વચનરચનાનું સ્વરૂપ નથી જ; તેથી તેઓ પ્રગટ-મહિમાવંત છે અને સમસ્ત લોકના એક (અનન્ય) નાથ છે. તેમને દ્રવ્યભાવસ્વરૂપ એવો આ બંધ કઈ રીતે થાય? (કારણ કે ) મોહના અભાવને લીધે તેમને ખરેખર સમસ્ત રાગદ્વેષાદિ સમૂહું તો છે નહિ. ૨૮૯. [શ્લોકાર્થ-] ત્રણ લોકના જેઓ ગુરુ છે, ચાર કર્મનો જેમણે નાશ કર્યો છે અને આખો લોક તથા તેમાં રહેલો પદાર્થસમૂહ જેમના સજ્ઞાનમાં સ્થિત છે, તે (જિન ભગવાન) એક જ દેવ છે. તે નિકટ (સાક્ષાત) જિન ભગવાનને વિષે નથી બંધ કે નથી મોક્ષ, તેમ જ તેમનામાં નથી કોઈ મૂર્છા કે નથી કોઈ ચેતના (કારણ કે દ્રવ્યસામાન્યનો પૂર્ણ આશ્રય છે). ૨૯). [શ્લોકાર્થ-] આ જિન ભગવાનમાં ખરેખર ધર્મ અને કર્મનો પ્રપંચ નથી (અર્થાત ૧. મૂછ = બેભાનપણું, બેશુદ્ધિ; અજ્ઞાનદશા. ૨. ચેતના = ભાનવાળી દશા; શુદ્ધિ, જ્ઞાનદશા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402