________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૮]
નિયમસાર
| [ ભગવાનશ્રીકુંદકુંદ
(વસંતતિનવI) सद्बोधपोतमधिरुह्य भवाम्बुराशिमुलंध्य शाश्वतपुरी सहसा त्वयाप्ता। तामेव तेन जिननाथपथाधुनाहं याम्यन्यदस्ति शरणं किमिहोत्तमानाम्।। २७४ ।।
| (મંદાક્રાંતા) एको देवः स जयति जिनः केवलज्ञानभानुः कामं कान्तिं वदनकमले संतनोत्येव कांचित्। मुक्तेस्तस्याः समरसमयानंगसौख्यप्रदाया: को नालं शं दिशतुमनिशं प्रेमभूमेः प्रियायाः।। २७५ ।।
(અનુકુમ) जिनेन्द्रो मुक्तिकामिन्याः मुखपद्मे जगाम सः। अलिलीलां पुनः काममनङ्गसुखमद्वयम्।। २७६ ।।
હું જિનનાથ !) સજ્ઞાનરૂપી નાવમાં આરોહણ કરી ભવ-સાગરને ઓળંગી જઈને, તું ઝડપથી શાશ્વતપૂરીએ પહોંચ્યો. હવે હું જિનનાથના તે માર્ગે (-જે માર્ગે જિનનાથ ગયા તે જ માર્ગે) તે જ શાશ્વતપુરીમાં જાઉં છું; (કારણ કે) આ લોકમાં ઉત્તમ પુરુષોને (તે માર્ગ સિવાય) બીજાં શું શરણ છે? ૨૭૪.
[શ્લોકાર્થ-] કેવળજ્ઞાનભાનુ (-કેવળજ્ઞાનરૂપી પ્રકાશના ધરનારા સૂર્ય) એવા તે એક જિનદેવ જ જયવંત છે. તે જિનદેવ સમરસમય અનંગ (-અશરીરી, અતીંદ્રિય) સૌખ્યની દેનારી એવી તે મુક્તિના મુખકમળ પર ખરેખર કોઈ અવર્ણનીય કાન્તિને ફેલાવે છે; (કારણ કે ) કોણ (પોતાની ) સ્નેહાળ પ્રિયાને નિરંતર સુખોત્પત્તિનું કારણ થતું નથી ? ૨૭૫.
[ શ્લોકાર્થ-] તે જિનંદ્રદેવે મુક્તિકામિનીના મુખકમળ પ્રત્યે ભ્રમરલીલાને ધારણ કરી (અર્થાત્ તેઓ તેમાં ભ્રમરની જેમ લીન થયા) અને ખરેખર અદ્વિતીય અનંગ (આત્મિક) સુખને પ્રાપ્ત કર્યું. ૨૭૬.
Please inform us of any errors on [email protected]