________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
प्रकृतिस्थित्यनुभागप्रदेशबंधैर्विवर्जित आत्मा। सोहमिति चिंतयन् तत्रैव च करोति स्थिरभावम्।। ९८ ।।
अत्र बन्धनिर्मुक्तमात्मानं भावयेदिति भव्यस्य शिक्षणमुक्तम्।
शुभाशुभमनोवाक्काकर्मभिः प्रकृतिप्रदेशबंधौ स्याताम; चतुर्भिः कषायैः स्थित्यनुभागबन्धौ स्तः; एभिश्चतुर्भिर्बन्धैर्निर्मुक्त: सदानिरुपाधिस्वरूपो ह्यात्मा सोहमिति सम्यग्ज्ञानिना निरन्तरं भावना कर्तव्येति।
(મંતાક્રાંતા). प्रेक्षावद्भिः सहजपरमानंदचिद्रूपमेकं संग्राह्यं तैर्निरुपममिदं मुक्तिसाम्राज्यमूलम्। तस्मादुच्चैस्त्वमपि च सखे मद्वचःसारमस्मिन् श्रुत्वा शीघ्रं कुरु तव मतिं चिच्चमत्कारमात्रे।। १३३ ।।
અન્વયાર્થ પ્રકૃતિરિત્યનુમા|પ્રવેશવંધે: વિવર્ણિતઃ] પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ રહિત [માત્મા] જે આત્મા [સ: મમ્] તે હું છું-[ રૂતિ] એમ [ ચિંતયન] ચિંતવતો થકો, (જ્ઞાની) [ તત્ર વ ૨] તેમાં જ [ સ્થિરમાવે રોતિ ] સ્થિરભાવ કરે છે.
ટીકા:-અહીં (આ ગાથામાં), બંધરહિત આત્માને ભાવવો-એમ ભવ્યને શિખામણ દીધી છે.
શુભાશુભ મનવચનકાયસંબંધી કર્મોથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે; ચાર કષાયોથી સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે; આ ચાર બંધ રહિત સદા નિરુપાધિસ્વરૂપ જે આત્મા તે હું છું-એમ સમ્યજ્ઞાનીએ નિરંતર ભાવના કરવી.
[ હવે આ ૯૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ]
[ શ્લોકાર્થ-] જે મુક્તિસામ્રાજ્યનું મૂળ છે એવા આ નિરુપમ, સહજપરમા-નંદવાળા ચિકૂપને (-ચૈતન્યના સ્વરૂપને) એકને ડાહ્યા પુરુષોએ સમ્યક પ્રકારે ગ્રહવું યોગ્ય છે; તેથી, હું મિત્ર! તું પણ મારા ઉપદેશના સારને સાંભળીને, તુરત જ ઉગ્રપણે આ ચૈતન્યચમત્કારમાત્ર પ્રત્યે તારું વલણ કર. ૧૩૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com