________________
પવિત્ર એવું સત્યવચન તે વિશ્વાસના સ્થાનરૂપ છે, વિપત્તિને તે દળનાર છે, દેવોને તે આરાધવા લાયક છે, મુક્તિમાર્ગમાં તે એક ભાતારૂપ છે, જળ અને અગ્નિના ઉપદ્રવને તે દૂર કરનાર છે, વાઘ અને સર્પને તે સ્તંભનાર છે કલ્યાણ તથા સમૃદ્ધિને તે ઉત્પન્ન કરનાર છે, સૌજન્યના તે જીવનરૂપ છે, કીર્તિના કેલિવન સમાન અને પ્રભાવના તે ભવનરૂપ છે. આપડા
वन्द्यते यदवन्द्योऽपि यदपूज्योऽपि पूज्यते । गम्यते यदगम्योऽपि स प्रभावो धनस्य तु ।।५७।।
અવંદ્ય પણ વંદાય, અપૂજ્ય પણ પૂજાય અને અગમ્ય પણ ગમ્ય થાય-તે માત્ર ધનનો જ પ્રભાવ સમજવો. પછી
वरं रेणुर्वरं भस्म नष्टश्रीन पुनर्नरः । मुक्त्वैनं दृश्यते पूजां क्वापि पर्वणि पूर्वयोः ।।५८।। રજ અને ભસ્મ સારાં, પરંતુ ધનહીન પુરુષ સારો નહિ, રજ અને ભસ્મ તો કોઈ પર્વના દિવસે યે પૂજાય છે, પણ ધનહીન તો નકામો જ છે. પ૮ :
वेश्यासौ मदनज्वाला रूपेन्धनसमन्विता । कामिभिर्यत्र हूयन्ते यौवनानि धनानि च ।।५९।। વેશ્યા-એ મદનની વાલા છે, તથા તે રૂપ-ઇંધનથી યુક્ત છે, જ્યાં કામીજનો બિચારા પોતાના યોવન અને ધનને હોમ્યા કરે છે. પલા विषयगणः कापुरुषं करोति वशवतिनं न सत्पुरुषम् । बध्नाति मशकमेव लूतातन्तुर्न मातङ्गम् ।।६।। વિષયો માત્ર કાયર પુરુષોને જ વશ કરે છે, પરંતુ પુરુષને તે વશ કરી શકતા નથી, કારણકે કરોળીયાના તંતુ મચ્છરને બાંધી શકે છે, પણ માતંગ(હસ્તી)ને તે બાંધી શકતા નથી. Iકoll वैद्यराज ! नमस्तुभ्यं यमराजसहोदर ।
- ૨૪૫ ૨