________________
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
અનભિજ્ઞ છે. આથી મલ્લવાદીને મૈત્રકયુગમાં, એના પ્રથમ તબક્કામાં, મૂકવા ઠીક લાગે છે. ૪. Ed. Muni shri Punyavijaya, Ahmedabad-Varanasi, 1975. ૫. એજન, પૃ. ૨૬. આ પદ્ય શીલાચાર્યની સૂત્રકૃતાંગ-વૃત્તિમાં પણ ઉદ્ધત થયું છે; પણ ત્યાં પura
નીતાડHIM ને બદલે વશ તાડાનાં એવો પાઠાંતર મળે છે. For details, see V. M. Kulkarni, “Svabhāva (Naturalism) : A Study," English Section, Shri Mahavira Jain
Vidyalaya Golden Jubilee Volume, Part 1, Bombay 1968, pp. 10-20. ૬. ‘પોયણા' શબ્દની વ્યુત્પત્તિ (સં.) “પાથી નીપજતા (પ્રા.) “પઉમ' પરથી માનવામાં આવી છે, પણ
અહીં તો એનો પુરોગામી શબ્દ “પીર્ણ મળે છે : તો શું સમજવું ? “પૂર્ણ પરથી “પર્ણ શબ્દ બન્યો છે ? પૌર્ણમી વા પૂનમ સાથે એના ખીલવાને સંબંધ હશે કે તેની પાંખડીઓના પૌર્ણ કલાપને કારણે “પૌર્ણ નામ સંસ્કૃત લેખકોએ બનાવ્યું હશે, કે પછી “પઉમ'નું પુનઃસંસ્કૃતીકરણ “પૌર્ણ કર્યું હશે? આનો નિર્ણય
તો ભાષાવિદો જ કરી શકે. ૭. નિવૃતિકુલના આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ઈ. સ. પ૯૪ના અરસામાં દિવંગત થયા છે. સ્વર્ગગમન પૂર્વે પ્રાકૃત-ભાષા-નિબદ્ધ સ્વરચિત વિશેષ-આવશ્યક-ભાષ્યની ૨૩૧૮ના અંક પર્યન્તની ગાથાઓની સંસ્કૃત ટીકા રચી શકેલા. આ વૃત્તિથી અગાઉ, પણ ભાષ્ય રચી રહ્યા બાદ, વચ્ચેના ગાળામાં એમણે જીતલ્પ-ભાષ્ય તેમ જ વિશેષણવતી સરખા ગ્રંથોની રચના કરી છે. આથી એમના વિશેષ-આવશ્યક
ભાષ્યનો સમય ઈ. સ. ૫૮૫ના અરસાનો હોવાનું મેં અનુમાન કર્યું છે. c. Ed. Pt. Dalsukh Malvania, Pt. II, Ahmedabad 1968. ૯. એજન પૃ. ૪૨૮. ૧૦. એજન. ૧૧. જંબૂવિજય, ઉપર્યુક્ત, પૃ. ૧૯૧. ૧૨. જો કે જંબુવિજયજીએ સિંહસૂરિ ક્ષમાશ્રમણની નયચક્રવૃત્તિનો સમય કોટ્ટાર્યવાદિગણિ તેમ જ ધર્મકીર્તિથી
પૂર્વનો, પણ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણથી કદાચિતુ બાદનો, એટલે કે લગભગ ઈ. સ. ૬૦૦-૬૨૫નો માન્યો છે. પણ એમના પ્રશિષ્ય—તત્ત્વાર્થાધિગમસૂત્રના વૃત્તિકાર ગંધહસ્તી સિદ્ધસેન–નો સમય ઈસ્વીસનુના આઠમા શતકના પૂર્વાર્ધમાં નિશ્ચિત થતો હોઈને અને તત્ત્વાર્થવૃત્તિમાં દિગંબરાચાર્ય ભટ્ટ અકલંકદેવના તત્ત્વાર્થરાજવાર્તિક તેમ જ સિદ્ધિવિનિશ્ચયનો પરિચય વર્તાતો હોઈ સિંહસૂરિનો સમય જંબવિજયજીની ગણનાથી પચાસેક વર્ષ બાદનો હોવો ઘટે. (ભટ્ટ અકલંકદેવની ઉપરિકથિત કૃતિઓ લગભગ ઈ. સ. ૭૪૦-૭૫૦ના અરસાની હોવાનો સંભવ હોઈ સિદ્ધસેનાચાર્યની કૃતિની સમયસ્થિતિ વહેલામાં વહેલી ઈ. સ. ૭૫O-૭૬૦ના અરસાની સંભવી શકે. એ વાત લક્ષમાં લઈએ તો
દ્વાદશાનયચક્રવૃત્તિને ઈસ્વી ૬૭૫ પહેલાં મૂકી શકાય એવા સંજોગ નથી) ૧૩. મુનિ જંબૂવિજય, ઉપર્યુક્ત, પૃ. ૨૨૨. ૧૪. દ્વાદશારનયચક્રવૃત્તિની પ્રતો બહુ મોડેની છે અને તેથી એમાં સહેજે જ પાઠવિકૃતિ એવં વર્ણવિકાર થવાનો
મોકો રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org