________________
૨ ૨ ૨
નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
અહીં સ્વયં મહાવીર છદ્મસ્થાવસ્થામાં આવી ગયાની માન્યતા ઈસ્વીસના ૧૩મા-૧૪મા શતકના સાહિત્યમાં (અને અભિલેખમાં પણ) મળે છે તેમ જ અબ્દપંથકમાં જીવંતસ્વામી મહાવીરની ૧૧મા શતકની મૂર્તિઓ મળી આવી છે (જે સિરોહીના અજિત જિનના મંદિરમાં, જોધપુરના સરકારી સંગ્રહાલય આદિ સ્થળોમાં જોવા મળે છે.) આ અન્વયે આ તીર્થનું મધ્યકાળમાં ઠીક ઠીક મહત્ત્વ હશે તેવું લાગે છે અને આ માન્યતાની નોંધ લેતો આ કદાચ સૌથી જૂનો વાલ્મયિક ઉલ્લેખ છે. સ્તવકાર આ તીર્થને પૂજવાનું કહે છે.
કાશ૯દ
અમદાવાદ પાસેના કોસિન્દ્રામાં, વિદ્યાધરપતિ કાલિકાચાર્ય-પ્રતિષ્ઠિત મનાતા, જિન ઋષભનું પ્રાચીન મંદિર હતું. સ્તવકાર તેનો જય કહે છે. વલભીભંગ સમયે દેવપત્તન, વર્ધમાનપુર, શ્રીમાલ ઉપરાંત કાશહૃદમાં પણ પ્રતિમા આવેલી, એવી પશ્ચાત્કાલીન અનુશ્રુતિઓ આ તીર્થની પ્રાચીનતાનું કંઈક અંશે સમર્થન કરે છે. આથી સાંપ્રત સ્તોત્રમાં આ તીર્થનો ઉલ્લેખ મૂલ્યવાન બની જાય છે. (વર્તમાનમાં તો આ તીર્થનું મહત્ત્વ રહ્યું નથી.)
નાશિફ્ટ
નાસિક કિંવા નાશિકમાં ચંદ્રપ્રભનું સ્થાન હોવાનું જિનપ્રભસૂરિના કલ્પથી સિદ્ધ છે. આ મંદિર પાંડવપુત્ર દ્વારા પ્રતિષ્ઠિત મનાતું. તેને લગતો આ પ્રાચીનતમ ઉલ્લેખ છે".
સોપારક
સોપારકમાં જીવિતસ્વામી ઋષભદેવ ભગવાનનું તીર્થ હોવાનું જિનપ્રભસૂરિએ નોંધ્યું છે. રાજશેખરસૂરિ કૃત પ્રબંધકોશમાં “હેમસૂરિપ્રબંધ” અંતર્ગત પ્રાસંગિક રૂપે સોપારકના ભરતચક્રીકારિત જીવિતસ્વામી ઋષભદેવનો ઉલ્લેખ કરેલો છે. મધ્યકાળમાં સોપારક વિખ્યાત જિનતીર્થ હશે તેમ લાગે છે. ૧૫મા શતકમાં બૃહતપાગચ્છીય ઉદયધર્મસૂરિ અહીંના જીવિતસ્વામીનો ઉલ્લેખ કરે છે અને સોપારા શત્રુંજયની તળેટી હોવાનું કહે છે. આ સિવાય સોપારકતીર્થ પર કેટલાંક સ્તોત્રો પણ ૧૫-૧૬મા સૈકામાં રચાયેલાં. -
સ્તવકાર અહીં નાગેન્દ્રાદિ ચાર પ્રાચીન કુલોના આચાર્યોએ સ્થાપેલા ઋષભદેવના મંદિરનો જયકાર કરે છે. આ ચાર કુલોની વજસ્વામીના સમયમાં સોપારામાં ઉત્પત્તિ થઈ હોવાની માન્યતા મધ્યકાળમાં હતી. આજે આ પ્રાચીન જૈનતીર્થ પ્રાયઃ વિચ્છેદ થયું છે.
અબ્દનગ આ પછી, વધારામાં, વિમલ “નરેન્દ્ર (મંત્રી)એ કરાવેલ અર્બદ પર્વત પરના ઋષભનો જય કહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org