________________
શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર' અપનામ “શ્રી શત્રુંજયમહાતીર્થપરિપાટિકા
૨૯૫
यत्राम्बिका वितनुते किल सङ्घरक्षां
श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ।। इत्येवंविधरेवताचलशिरः शृङ्गारचूडामणिविश्वाम्भोजविकासवासरमणिस्त्रैलोक्यचिन्तामणिः । सेव्यः सैष तमोवितानविजये चन्द्रोपमैः सूरिभिः
श्रीनेमिर्जगतां विभुर्भवतु मे दुष्टाष्टकर्मच्छिदे ।। પ્રસ્તુત સ્તવનના વિષયમાં પં. બાબુભાઈનાં અવલોકનો વર્તમાન સંદર્ભમાં ઉપયુક્ત છે; કાળનિર્ણય માટે બીજો પણ મુદ્દો છે. “ “શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટિકા” અપરનામ “શ્રીપુંડરીકશિખરીસ્તવ”, જો કે તેમાં કર્તાનું નામ નથી આપ્યું છતાં ધ્વનિ, સંઘટન તથા આકાર-પ્રકારમાં તેને ખૂબ જ મળતી આવતી રચના છે. પ્રસ્તુત કૃતિનો રચનાકાળ પ્રા. મધુસૂદન ઢાંકીએ ઈ. સ. ૧૩૦(૧)પ અને ૧૩૨૦ વચ્ચેનો હોવાનો નિર્ણય કર્યો છે.”
પ્રસ્તુત બંને કૃતિઓ એક કર્તક હોવાનો પૂરો સંભવ હોઈ, તેમ જ બંને એક જ પ્રતિમાં ઉપલબ્ધ થઈ હોઈ સાંપ્રત રચનાને ઈસ્વીસના ચૌદમા શતકના પ્રથમ ચરણમાં મૂકવામાં કોઈ આપત્તિ નથી....” “રચયિતાએ પોતાના ગચ્છ કે ગુર્નાદિક વિશે કશું કહ્યું નથી. પરિપાટીને અંતે ૨૧માં શ્લોકમાં “સેવ્ય: સૈs તમોવિતાવિયે વન્દ્રોઃ મૂપિ .” આ પ્રમાણે કર્તાએ પોતાના નામનો ઉલ્લેખ શ્લેષપૂર્વક કરેલો હોવાથી કર્તાનું નામ “વિજયચંદ્રસૂરિ હોવાનું નિશ્ચિત થાય છે.”
“વિજયચંદ્ર” નામવાળા ચારેક સૂરિઓ મધ્યકાળમાં થઈ ગયા છે. સમયની દૃષ્ટિએ સૌ સાંપ્રત કૃતિના સંભાવ્ય કાળથી ઠીક ઠીક પૂર્વે થઈ ગયા હોઈ આ સ્તોત્રના કર્તા કોઈ અઘાવધિ અજ્ઞાત વિજયચંદ્ર જણાય છે.”
પં. બાબુભાઈનાં અવલોકનો સાર્થક છે અને તદનુસાર પુંડરીકશિખરીસ્તવના કર્તા પણ વિજયચંદ્ર હોવાનો પૂરો સંભવ છે. તેમ જ સ્તવનો સમય પ્રાયઃ ઈસ્વી ૧૩૧૫-૧૩૨૦ના અરસાનો, એટલે કે સમરાશાહના ઈસ. ૧૩૧૫ના પુનરુદ્ધાર અને ખરતરવસહીની રચના(પ્રાયઃ ઈસ્વી ૧૩૨૦)ની વચ્ચેના ગાળાનો છે.
ટિપ્પણો :
૧. આ વિશે વિસ્તારથી મૂળપાઠો સહિત ચર્ચા મારા The Sacred Hills of Satrunjayagiri નામક
પુસ્તકમાં આવનાર હોઈ અહીં વિશેષ કહીશ નહીં. ૨. એજન. ૩. એજન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org