________________
પાદલિપ્તસૂરિ વિરચિત નિર્વાણકલિકા'નો સમય અને આનુષંગિક સમસ્યાઓ
૯૯
૯. આદિ પાદલિપ્તસૂરિના સમયમાં તંત્રવાદ જ નહીં, મંત્રવાદનું પણ જૈનોમાં પ્રચલન નહોતું. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સુત્ર અને ઋષિભાષિતાની આદિ આગમોમાં મંત્રનો સ્પષ્ટ રૂપે નિષેધ કરેલો છે જ.
૧૦. પ્રસ્તુત ગ્રંથ પર શિવગંદી વાચકની દીપિકા સરખી પ્રાકૃત વૃત્તિ મળી છે. આ વાચક શિવનંદી પાંચમા
શતકના હોવા ઘટે. કદાચ કર્મ ગ્રંથોના રચયિતા કહેવાતા “શિવશર્મા' અને આ “શિવનંદી' એક જ વ્યક્તિ
હોઈ શકે. ૧૧. પરંતુ એ દિશામાં સંપાદકોએ ખાસ કોઈ પ્રયત્ન કર્યા નથી. ૧૨. ગ્રંથસમામિની નોંધની ગાથાઓ ક્રમાંક ૪૦૪-૪૦૫માં એ મુજબ જણાવાયું છે. જુઓ જ્યોતિષકરંડક,
જૈન આગમ ગ્રંથમાળા, ગ્રંથાંક ૧૭ (ભાગ ૭), સં. મુનિ પુણ્યવિજય, મુંબઈ ૧૯૮૯, પૃ. ૧૧૧. ૧૩. નૈન સાહિત્ય વૃદન્ તિહાસ, ભાગ ૩, પાર્શ્વનાથવિદ્યાશ્રમ ગ્રંથમાળા-૧૧ મોહનલાલ મહેતા,
વારાણસી ૧૯૬૭, પૃ. ૪૨૩-૪૨૬. ૧૪. વિગત માટે જુઓ, જ્યોતિષકરંડક, “પ્રસ્તાવના,” પંઅમૃતલાલ મોહનલાલ ભોજક, પૃ. ૨૦-૨૧. ૧૫. જુઓ ત્યાં “Introduction,” Palitana and Vira stuti,' Bombay 1926, p. 13. ૧૬. પશ્ચાત્કાલીન પ્રબંધાત્મક ચરિતાત્મકાદિ સાહિત્યમાં આ મંદિરનો ક્વચિત્ ઉલ્લેખ મળી આવે છે, પણ
તે જે પાદલિપ્તસૂરિના સંદર્ભે હોઈ શકે તે તૃતીય પાદલિપ્ત નહીં તો દ્વિતીય પાદલપ્તસૂરિ હોવાનો વિશેષ
સંભવ છે. ૧૭. આ વિશેની ચર્ચા સાક્ષીપાઠો સહિત મારા હાલ પૂર્ણ થઈ રહેલા The sacred Hills of Satrunjayaમાં
અપાનાર છે. ૧૮. કહાવલિ અદ્યાવધિ અપ્રકાશિત છે, પણ તેમાં જે પાદલિપ્તસૂરિ સંબંધમાં વક્તવ્ય દીધું છે એને, અને
પ્રભાવકચરિત આદિ પ્રબંધોને આધારે મેં વિધાન કર્યું છે. ૧૯. આ હકીકત પ્રભાવક ચરિતમાં નોંધાયેલી છે. જુઓ ત્યાં પૃ. ૩૨. ૨૦. પાદલિપ્તસૂરિએ જે શત્રુંજયકલ્પની રચના કર્યાની વાત આવે છે. તે આ પુંડરીકપ્રકીર્ણક સંબંધી જ માનવી
ઘટે. આ ગ્રંથની એક પ્રતમાં હાંસિયામાં પાદલિપ્તસૂરિકત હોવાની વાત નોંધાયાનું મને સ્મરણ છે. ૨૧. મૂળ કૃતિ જોતાં એ વાત તદ્દન સ્પષ્ટ બની જાય છે. તેમાં માહાભ્ય ગ્રંથોની શૈલી અનુસાર ત્યાં કરેલાં
દાનો, તીર્થને આપેલી ભેટો, વ્રતાદિ ક્રિયાઓના ફળરૂપે જે કંઈ કહ્યું છે તે આ રચના પ્રાચીન હોવાનો અપવાદ કરે છે. જુઓ “સારાવલિ-પ્રકીર્ણક,” પ્રકીર્ણક-સૂત્રાણિ, સંત પં. અમૃતલાલ મોહનલાલ ભોજક,
જૈન-આગમ-ગ્રંથમાલા ગ્રંથાંક ૧૭ ભાગ-૧ મુંબઈ ૧૯૮૪, પૃ. ૩૫૦-૩૬૦. ૨૨. શ્રી શત્રુંજય સૌરભ યાને શ્રી જિનતીર્થદર્શન, પ્રકાશક શાહ જયંતિલાલ પ્રભુદાસભાઈ તથા
શા. વરજીવનદાસ રેવાલાલ, મુંબઈ વીર સંવત ૨૪૮૫ (ઈ. સ. ૧૯૫૮), “શત્રુંજય લઘુકલ્પ', પૃ. ૪૧૧.
23. Catalogue of Palm-leaf Manuscripts in the Säntinātha Jaina Bhandara Cambay,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org