________________
૨૦૬
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
मुदितमतिबलमुरारिप्रपूजितो जितकषायरिपुरथ जातः । बृहदूर्जयन्तशिखरो शिखामणिस्त्रिभुवनस्यनेमिर्भगवान् ॥३१॥ पावापुरवरसरसां मध्यगतः सिद्धिवृद्धितपसां महसां । वीरो नीरदनादो भूरिगुणश्चारुशोभमास्पदमगमत् ॥३२॥
सम्मदकरिवनपरिवृत- सम्मेद - गिरिन्द्रमस्तके विस्तीर्णे । शेषा ये तीर्थकराः कीर्तिभृतः प्रार्थितार्थसिद्धिमवापन् ॥३३॥
આ પઘોનું ગ્રથન-કૌશલ પણ વિદગ્ધ અને ઉદાત્ત આભિજાત્ય સાથે લાઘવદર્શી ઊર્જસ્વિતા દાખવી રહે છે. સારુંયે સ્તોત્ર ઝંકૃત ધ્વનિથી દેદીપ્યમાન બની ઊઠ્યું છે. કર્તાનાં આગમપ્રવણ વલણ, કર્તૃત્વ-સામર્થ્ય, અને અંતરંગમાં વિલસતા કાવ્યગુણો આમ તો દેવનંદિની કૃતિઓમાં દેખાય છે તેની અમુકાંશે સમીપનાં છે.પણ સવાલ એ છે કે શું એના એ વિષય પર કર્તાએ બે જુદે જુદે સ્થળે કથન કર્યું હશે ? કે પછી નજદીકના જ સમયમાં, કદાચ સાતમીના અંતભાગે, થયેલા કોઈ સમર્થ પણ અજ્ઞાત કર્તાની આ રચના હશે ? સંઘટનની પ્રકૃતિમાં અને શબ્દોની પસંદગીમાં અને કાવ્યપોતના તાણાવાણામાં બંને વચ્ચે થોડોક ફરક તો જરૂર વરતાય છે. એનો તો કંઈક અંશે એ રીતે ખુલાસો કરી શકાય કે બંનેનાં છંદ અલગ પ્રકારનાં છે; અને છંદ જુદા હોય તો કેટલીક વાર ઉપલક દૃષ્ટિએ એક જ કર્તાની કૃતિઓમાં પણ નોખાપણું લાગે. આ બાબતમાં વિશેષ ચોક્કસ નિર્ણય તો ભવિષ્યના વિશેષ ઊંડાણભર્યા, વિશ્લેષણયુક્ત પરીક્ષણ પર છોડું છું. જોકે પ્રથમ દૃષ્ટિએ મને એની શૈલી વરાંગચરિતકાર જટાસિંહનંદી(પ્રાયઃ ઈસ્વી ૬૫૦-૭૦૦)ની હોવાનો ભાસ થયો છે.
Jain Education International
ઉત્તરની નિગ્રન્થ પરંપરાની ઈસ્વીસન્ની પાંચમીથી લઈ ૧૭મી સદીના લગભગ હજારેક સંસ્કૃત-પ્રાકૃત સ્તોત્રો હું જોઈ વળ્યો છું; પણ તેમાં નિર્વાણભૂમિને વિષય બનાવી તેનું આલેખન કરતી કોઈ જ રચના નજરે પડી નથી. દાક્ષિણાત્ય નિર્ગન્ધ પરંપરા એનાં સંસ્કૃત ભાષા પરના અદ્ભુત પ્રભુત્વ, કવિતામાં અજોડ સંગ્રથન નૈપુણ્ય અને ઉચ્ચતમ ગુણવત્તા માટે જ નહીં, પણ નિર્વાણભૂમિ સરખા કપરા, શુષ્ક, અને ગમગીન વિષયને પણ સ્તોત્ર-કાવ્યના માધ્યમ દ્વારા, પ્રશાંત-ગંભીરતાનાં તત્ત્વો સમેત નિર્બાધરૂપે નિર્વાહિત કરી શકી છે તે ઘટના સહેજે જ પ્રશંસાને પાત્ર બની જાય છે.
ટિપ્પણો :
૧. આગમોમાં આચારાંગ (પ્રથમ સ્કંધ), સૂત્રકૃતાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, ઋષિભાષિતાનિ તેમજ સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ શૈલી તેમ જ વસ્તુની દૃષ્ટિએ સૌથી પ્રાચીન છે. જો કે આ પ્રત્યેકમાં જુદા જુદા સમયનાં અને નોખી નોખી શૈલીના સ્તરો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org