Book Title: Mewadno Punruddhar
Author(s): J M Kapasi, Vinod Kapashi
Publisher: V K Parakashan

View full book text
Previous | Next

Page 149
________________ ૧૩૮ મેવાડને પુનરુદ્ધાર લગ્ન પછી તારે મારી જેમ સર્વ ભેગવિલાસને ત્યાગ કરીને સાધુ-જીવન ગુજારવું પડશે. કહે, આ તને કબૂલ છે?' પ્રતાપે પુનઃ પૂછયું. હૃદયેશ્વર ! આ તે શું, પણ આપની ગમે તે શરત મારે કબૂલ છે. આપ જ વિચાર કરો કે આપ જ્યારે સામાન્ય પર્ણકૂટીમાં રહીને આ૫નું જીવન ગુજારતા હશે, ત્યારે શું હું રાજમહેલમાં રહીને એશઆરામ કરીશ ? કદિ નહિ. હું તે આપની છાયાની જેમ આપના સુખમાં અને દુઃખમાં ભાગ લેવાને આપની આજ્ઞાનુવતિની બનીને આપની સાથે જ રહીશ અને આપના ચરણની સેવા કરીને મને પિતાને ભાગ્યશાલિની ગણીને આનંદ માનીશ.” અલકાએ શરતને સ્વીકાર કરતાં ઉત્તર આપે. પ્રતાપે હસીને કહ્યું. “બહુ સારું. હું હવે જાઉં છું.” એમ કહીને પ્રતાપ પોતાની પ્રિયતમાને પ્રેમમયી દૃષ્ટિથી જોત જોતા આગળ ચાલે એટલે અલકાએ તેને સંબોધીને ઊભા રહેવાની ઈશારત કરતાં તે ઊભો રહ્યો. અલકા તેની પાસે ગઈ અને પિતાના હસ્તમાં ગુલાબના પુષ્પોની તૈયાર કરેલી જે માળા હતી, તે તેના કંઠમાં પહેરાવી દીધી. પ્રતાપ તેનું ચાતુર્ય જોઈને હસી પડ્યો. તે પછી તેણે એ માળાને પિતાના કંઠમાંથી લઈને અલકાના કંઠમાં તેને આરોપણ કરી અને ત્યાર પછી તે ત્વરાથી ત્યાંથી ચાલ્યો ગયો. અને ગુલાબનાં પુષ્પોની એ માળા અલકાસુંદરીના સુંદર કંઠમાં અને તેના અતિ ઉચ્ચ સ્તનપ્રદેશ ઉપર સ્થાન મેળવીને કૃતાર્થ થઈ.

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190