Book Title: Mewadno Punruddhar
Author(s): J M Kapasi, Vinod Kapashi
Publisher: V K Parakashan

View full book text
Previous | Next

Page 152
________________ ભામાશાહની સ્વદેશભક્ત ‘અમે હજુ કાઈ પણ ચોક્કસ નિર્ણય ઉપર આવ્યા નથી; પરંતુ મારા વિચાર આ સ્થળના ત્યાગ કરીને સિંધના રની પેલે પાર ચાલ્યા જાનેા છે; કારણ કે હવે સ્વભૂમિા ત્યાગ કર્યા સિવાય અન્ય એક પણ મા અમારા માટે અવશેષ રહેલા નથી અને તેથી હવે તેા દૂરના દેશમાં જઈને કેવળ અજ્ઞાત અવસ્થામાં બાકીના જીવનને વ્યતિત કરવું એ જ હિતાવહ છે.’ પ્રતાપસિંહે જવાબ આપ્યા, ૧૪૧ “મહારાણા !” રાષધવલે કહ્યુ, “આપ કેટલેક અંશે નિરાશ થઈ ગયેલા હૈ, એમ આપનાં વચનેા ઉપરથી મને જણાય છે; પરંતુ મારે કહેવું જોઈએ કે આપને આ સ્થળના ત્યાગ કરવાનું તથા નિરાશ ધવાનું કશું પ્રયેાજન નથી. આપ જેવા સ્વદેશાભિમાની મહાવીરને દરેક ઉપાયે સહાય કરવી એને હુ' મારી ફરજ સમજતા હોવાથી મેગલેાની સામે બચાવ કરવાને મારી પાસે જેટલું સૈન્ય છે, તે આપની સેવામાં અર્પણ કરું છું, એટલું જ નહિ, પણ અન્ય ઠાકારાને વિનંતિ કરીને તેમના સૈ-મેાતે પશુ આપની સેવામાં અપણુ કરાવીશ અને તેથી આપે આ સ્થળેથી ચાહ્યા જવાને વિચાર માંડી વાળવા, એ જ ઉત્તમ છે'' પ્રતાપસિંહે તેની આ ઉદારતા જોઈને કૃતજ્ઞતા દર્શાવતા કહ્યું. ‘‘ક્રાર ! મને સહાય કરવાની તમારી તીવ્ર લાગણી જોઈને હું તમારે. ધણા જ ઉપકાર માનું છું. તમે મને આજ સુધી આશ્રય આપીને તથા મારુ યોગ્ય આતિથ્ય કરીને તમારા જે ઋણી બનાવ્યા છે, તેના યેાગ્ય બદલા વાળી આપવાની મારામાં શક્તિ નહિં હાવાથી હું તેમાં વધારા કરવાને હવે ઈચ્છતા નથી. મેગલેાના વિશાળ સૈન્યની સામે તમારી નાની જાગીરને લડાઈમાં ઉતારી તમને પણુ મારી સ્થિતિમાં લાવી મૂકવા, એ મારી ધ્રુવળ મૂર્ખતા જ ગણાય અને તેથી હું હવે જેમ બને તેમ આ સ્થળના ત્યાગ કરી જવાના વિચાર ઉપર આગવા માગું છું.' મહારાણાના ઉપર્યુકત વચને! સાંભળીને રાયધવલ તેરા પ્રતિવાદ કરવા જતા હો; પરંતુ તેને અટકાવીને મ`ત્રીશ્વર ભામાશાહે કહ્યું. “મહારાણા ! આ સ્થળને ત્યાગ કરીને દૂરના પ્રદેશમાં ચાલ્યા જવાથી મેવાડના ઉદ્દાર કરવાની તથા તેની સ્વતંત્રતા પુનઃ મેળવવાની આપણા માથે જે જવાબદ્દારી રહેલી છે, તેને શું આપણે વિસરી જશુ નહિ ?’

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190