Book Title: Mewadno Punruddhar
Author(s): J M Kapasi, Vinod Kapashi
Publisher: V K Parakashan

View full book text
Previous | Next

Page 161
________________ ૧૫૦ મેવાડને પુનરુદ્ધાર “શાહજાદા સાહેબ ! શું એ મનમોહન સુંદરી મહેરને આપ હજુ ભૂલી ગયા નથી ? દાણી જ આશ્ચર્યની વાત ! પરંતુ આપ તેને મેળવશે શી રીતે ?” મહમદે સવાલ કર્યો. મહમદ ! દસ્ત ! તું હજુ ઉલ્લુ જ રહ્યો છે; શી રીતે મેળવશે, એ કાંઈ સવાલ છે! જમીન આસમાન એક થાય; તો પણ હું તેને છોડનાર નથી. જ્યારે દિલ્હીના તખ્તતાઉસ ઉપર તારે આ મિત્ર વિરાજમાન થશે, ત્યારે બિચારા શેર અફગાનની શી તાકાત છે કે તે મહેરને સાચવી શકે ? ગમે તે ભોગે અને ગમે તે ઉપાયે હું મહેરને મારી દિલબર બનાવીશ, એ ચેકસ છે. અને જ્યારે એમ કરીશ, ત્યારે જ મારા દિલની આગ બુઝાશે.” શાહજાદાએ આખો ફાડીને જવાબ આપે. મહમદે હસીને કહ્યું. પાક પરવરદેગારની મહેરબાનીથી આપની ઈચ્છા જલદી પાર પડે, એમ હું ઈચ્છું છું; પરંતુ શાહજાદા સાહેબ ! જ્યારે આપ એ લલિત લલનાને મેળવશે, ત્યારે પેલી ગુલબદન રજીયાનું શું થશે ! શું તેને વિસરી જશો ?” રજીયા !” શાહજાદાએ આશ્ચર્ય પામીને કહ્યું : “નહિ, રજીયાને વિસારી મેલવી મને પાલવે તેમ નથી; કારણ કે મને તેની કેટલાક રાજકીય કામોમાં ખાસ કરીને અગત્ય છે, પરંતુ મહેરની આગળ રજીયા તુરછ છે; કાંઈ વિસાતમાં નથી, મહમદે શરાબની પ્યાલી લઈને કહ્યું: “સાહેબ! આ૫ મહેરને વધુ મહત્વ આપે છે; પરંતુ મારા મતાનુસર મદમાતી સ્થૂલકાય સુંદરી રજીયા મહેરથી જરા પણ ઉતરતી નથી. પછી તે આપ જે ધારતા હે, તે ખરું.” “દસ્ત ! તારું કથન ઠીક છે, પરંતુ મહેર તે મહેર જ છે; તેની તુલનામાં રછયા ટકી શકે તેમ નથી. યા ખુદા ! યા પરવરદગાર ! મહેર હા, મહેરને જ હું મારી રાજરાણું બનાવીશ.” શાહજાદે શરાબના બેહદ નીશામાં બેલી ઊઠ. બરાબર આ સમયે પચીસેક વર્ષની એક તરુણીએ શાહજાદા સલીમની સન્મુખ આવીને કહ્યું : “શાહજાદા સાહેબ ! કાને આપની રાજરાણું બનાવવવા માગે છે ?” શાહજાદાએ નીશામાં જ જવાબ આપ્યો. “તને, પ્યારી રજીયા !

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190