Book Title: Maynasundari ane Shripal Raja
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 38
________________ ૨૫ ત્યારપછી માતા પાસે આવીને વિનયસહિત પિતાના મનની વાત જણાવી. માતા પુત્રની વાત સાંભળીને દુઃખી થઈ ગયાં. માંડ સુખના દિવસો જોયા ત્યાં વળી આ પુત્રવિયોગની વેળા આવી! માતા કહે, “હે શ્રીપાળ! તું તે મારી ખનું રતન છે. મારે તે આ જગતમાં તારે જ આધાર છે. તારા સુખે સુખી અને દુઃખે દુઃખી એવી આ માતા તે તારી સાથે જ પ્રયાણ કરશે.” શ્રીપાળને વારંવાર આશ્વાસન અને સમજથી માતાએ મન વાળ્યું. અને પુત્રના કલ્યાણ અર્થે શુભાશિષ આપ્યા અને કહ્યું કે, બેટા ! નવપદજીનાં ધ્યાનથી તારું ક૯યાણ .” - ત્યાર પછી શ્રીપાળ મયણા પાસે પહોંચે. મયણાને દાસી દ્વારા વાતને દેર મળ્યું હતું. સસરા અને માતાને મનાવવા જેવું આ કાર્ય સરળ ન હતું. પ્રારંભમાં તે બંને મૌન થઈ રહ્યાં. અંતે મયણાએ મૌન છોડ્યું. સજળ ને કહેવા લાગી, “હે સ્વામી! મારી કાયા તમારાથી ભલે જુદી હોય પણ મારા પ્રાણુ તે તમારી સાથે જ જીવવાવાળા છે. તેથી વિદેશયાત્રામાં હું તમારી સાથે આવીશ. હે સ્વામી! તમે અહૃદયના વિરહાગ્નિને જાણતા નથી તેથી મારાથી વિખૂટા પડી પરદેશ જવા તત્પર થયા છે. પણ હું તે આપ જ્યાં જશે ત્યાં સાથે જ આવીશ.” વળી મનોમન પિયાવા લાગીતે ઉપ-પ્રારબ્ધ! તું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94