________________
નવપદની ઉત્તમ પ્રકારે આરાધના કરવા ઉપરાંત તેઓ બારવ્રતનું પાલન કરતા હતા. સંસાર સુખની અભિલાવાને ત્યાગ કર્યો હતે. તેમની સાથે પુણ્યવંતી રાણીઓ પણ ધર્મઆરાધના કરતી હતી.
વળી પુત્રાદિને રાજ્યકારભાર સંપી જીવનના શેષ કાળે શ્રીપાળ અને નવ રાણીઓ પૂર્ણપણે નવપદજીની વિશેષ આરાધનમાં ગાળતાં, અનુકમે આયુષ્ય પૂર્ણ થતાં
સ્વર્ગલેક પામ્યાં. દેશનાને અંતે ગૌતમસ્વામી કહેવા • લાગ્યા કે હે શ્રેણિક રાજ! નવપદજીના એક એક પદની - ભક્તિ કરવાથી જીવ સર્વથા દુઃખમુક્ત થાય છે. તે
એક સમ્યક્ત્વ પદની ભક્તિના પ્રભાવે તીર્થંકર પદ પામીને સિદ્ધ થઈશ.
ગૌતમસ્વામીના શ્રીમુખે આવી ધર્મવાર્તાનું શ્રવણ કરી શ્રેણિક હર્ષ પામ્યા, અને સ્વથાને વિદાય થયા.
નવપદજીની આરાધનાની પાત્રતા નવપદજીના આરાધકે આરાધનાની યથાર્થ ફલશ્રુતિ માટે પ્રથમ તે શ્રીપાળ-મયણાની જેમ અંતરંગના વિષય અને કષાયને ત્યાગ કરે અને દરેક પરિસ્થિતિમાં સમ• તામાં રહેવું. પરદેવદર્શન, નિંદા, વિકથાને ત્યાગ કરે.
આ તપની આરાધનાના દિવસોમાં બાહાપ્રવૃત્તિને સંક્ષેપ કરી, આરંભ-પરિગ્રહના દોષે ઘટાડવા. તેવા પ્રકા“રેમાં જવું નહિ. અન્ય દિવસો કરતાં આ દિવસોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org