Book Title: Maynasundari ane Shripal Raja
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 77
________________ ધર્મને પ્રભાવ જાણનાર દંપતીને ધન્ય હો. પાપાચરણ કરવાવાળા જીથી દૂર રહેતું પુણ્ય જાણે કેરું સ્થાન શોધીને કરવા માંગતું હોય તેમ તેણે શ્રીપાળ રાજાને શોધી લીધા હતા. ચંપાનગરીનું રાજ્ય મેળવી શ્રીપાળે પ્રજાના સુખમાં વૃદ્ધિ કરી. પ્રજા વત્સલરાજા પર અનુરાગી હતી. સૌ પ્રત્યે સમાનભાવ રાખી શ્રીપાળરાજા નવ રાણીઓ સાથે દૈવી સુખ ભોગવતા હતા. અને સવિશેષ તે નવપદની આરાધનામાં સપરિવાર તેઓ અનુરક્ત હતા. તેમના જીવનની પળેપળ અને રામરામ નવપદજીના પ્રભાવથી પ્રફુલ્લિત હતા. પ્રસંગચિત શ્રીપાળરાજા એકવાર અજીતમુનિ મહારાજ પાસે સપરિવાર શ્રવણ માટે ગયા. વિનય વડે વંદન કરી તેમની પાસેથી દેશના સાંભળી તેઓ અત્યંત પ્રસન્ન થયા. શ્રીપાળના મનમાં એક ઘેરું મંથન ચાલતું હતું કે સંસારમાં કેવી કેવી વિચિત્રતા પ્રવર્તે છે? આથી તેમણે આદર સહિત મુનિ મહારાજને પૂછયું: હે ભગવંત! મારા કયા કમ વડે મને બાળપણમાં દુઃખ પડયું ! કયા કર્મને નિમિત્તે મને કુષ્ઠરોગ થયે? કયા શુભ યેગે મયણાસુંદરી જેવી ગુણવાન પત્ની મળી?. જેના કારણે ધર્મ પામ્યું. વળી અનેક રિદ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થઈ? ત્યાં વળી મારા ઉપર નીચ ગોત્રને આરોપ થ... અંતે ધર્મનું શુદ્ધ અવલબન પ્રાપ્ત થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94