Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray

View full book text
Previous | Next

Page 300
________________ સેવકે પરિચારિકાને બોલાવી ને કહ્યું પરદેશી શેઠને કહો કે શેઠ બોલાવે છે. પરિચારિકાએ અમરકુમારને સમાચાર આપ્યા. સાહેબ આવી ગયા છે. આપને મળવું હોય તો બોલાવે છે. આપની રાહ જોઇ રહયા છે. અમર ઉઠ્યો. સ્વસ્થતા પ્રાપ્ત કરવા હાથપગ ધોઇને મોં પણ બરાબર ધોઇને તરત વિમલયશ પાસે આવ્યો. આ પ્રમાણે સુરસુંદરીના રાસની આ ચોથા ખંડને વિષે વિશાળ એવી આ દસમી ઢાળમાં શેઠ સકંજામાં સપડાયા છે. બંધનમાં રહેતા શેઠને હવે કેવી રીતે વિમલયશ છોડશે. તે અધિકાર હવે પછીની આગળ ઢાળમાં કહેવાશે. ચતુર્થ ખંડે દસમી ઢાળ સમાપ્ત ⭑ ⭑ (દોહરા) લઘુપણાથી શીખીયો, હજીય ન ગઇ તુઝ ટેવ, જીવિશ કિમ હવે ઇમ સુણિ, લહી મૂર્છા તતખેવ. ૧ શીતલ વાયુ પ્રચારથી, સ્વસ્થ કરી તિણિવાર, વિમલજસા પૂછે તદા, પૂર્વ-તણો અધિકાર. ર વિમલ અમરની મીઠી મુંઝવણ ♦ માંડવી વિમલયશના આવાસમાં પરદેશી વેપારી અમરકુમાર માનસિક પીડાને વેઠી રહયો છે. વિમલયશે પોતાના ખંડમાં આવવા માટે સેવકને આજ્ઞા કરી. અમરકુમાર ભારે હૈયે પગ ઘસડતો વિમલયશ પાસે આવ્યો. અમરના મ્લાન વદન સામે જોતાં કહ્યું- પ્રવાસી શું નિદ્રા નથી આવતી? અત્યારે મળવા માટે ખાસ મેં બોલાવ્યા છે. અમર નીચી નજરે વાત સાંભળી રહ્યો છે. જવાબ શું આપે? શબ્દો જડતાં નથી. ઘી પી જવાનો ગુનો કરતાં પોતે હવે કોઇપણ ભોગે છૂટી શકે તેમ નથી. વિમલયશ ક :- શેઠ દેખાવમાં ભલા લાગો છો પણ આ ચોરી નું વ્યસન બાલપણાથી શીખ્યા હોય તેવું લાગે છે. જો આ ટેવ સુધાી હોતતો અત્યારે આ દશા નહોત. વિમલના વચનો સહન ન થયા. મુંઝાએલો અમર વિચાર માં છે હવે જીવાશે કેવી રીતે! આ છોડશે નહિ, મારે રહેવું નથી. ને આ વિચાર આવતાં અમર બેહોશ થઇને ઢળી પડયો. વિમલયશનું હૈયું હાથમાં ન રહયું. પોતે અને સેવકો થઇ ને તત્કાળ હોંશમાં લાવવાના પ્રયત્નો કર્યા. શીતળ પવનને ઉપચારોથી અમરકુમાર ભાનમાં આવ્યો. થોડીવારે સ્વસ્થ થયો. વિમલયશે પોતાની પાસે બેસાડયો. મિત્ર! શા માટે મુંઝાવો છો તમને હેરાન નહિ કરું. દુઃખી પણ નહિ કરું. તમારા માલની તપાસ કર્યા પછી તમને રજા આપીશ. અમરકુમાર હેઃ- મહાશય! દેખાવમાં દેવ જેવા લાગો છો. પરંતુ મને શા માટે પજવો છો. મારી આ સ્થિતિ મૃત્યુ સમી લાગે છે. કૃપા કરીને મને મુકત કરો. વિમલયશે મંદ હાસ્ય સાથે કહ્યું. આપ તો ઘણા કુશળ છો. આવા રમણીય સ્થાનમાં મૃત્યુની સંભાવના કેવી? તમારી સેવામાં મેં જરાયે કચાશ રાખી નથી. છતાં આવો ભયંકર આક્ષેપ કરો એ શી રીતે માની શકાય! દયાજનક સ્થિતિ જોઇને વળી વિમલયશે પૂછ્યું. મિત્ર! માનસિક દર્દ થી પીડાવ છો. હું તમારો સાહેબ નથી. અત્યારે એમ સમજો. એક મિત્ર તરીકે મને માની લ્યો. તમારા હૈયામાં ઘોળાતી વાતને ખુલ્લા દિલથી મારી આગળ કહો. જવાની શા માટે ઉતાવળ છે? (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૨૬૭)

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362