________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫ તરફ લક્ષ્ય દેવાથી અવબોધાશે કે વ્યવસ્થાક્રમથી તેઓએ કેવી ઉત્તમ વ્યવસ્થા કરી છે. ધાર્મિક કાર્યોમાં અવ્યવસ્થાથી પ્રવૃત્ત થનાર રાએ પરિણામે જે પ્રમાણમાં જોઈએ તે પ્રમાણમાં કર્મફલને પ્રાપ્ત કરી શકતા નથી. ધાર્મિક ખાતાઓમાં અવ્યવસ્થામવડે પ્રવર્તવાથી તેમાં સુધારવધારો કરી શકાતું નથી અને તેમજ તેઓની સંરક્ષા કરી શકાતી નથી. આ૫ મનુષ્ય પણ વ્યવસ્થા અને ક્રમપૂર્વક ગોઠવાયેલા હોય છે તે તેઓ અનેક કાર્યોને પહોંચી વળે છે અને પરસ્પરમાં સંપ મેળ રાખીને ઘણુ મનુષ્યની સાથે સ્પર્ધામાં ઉતરી સ્વપ્રવૃત્તિમાં વિજય મેળવે છે. કાર્ય કરવાના હેતુઓની વ્યવસ્થા, કાર્ય કરનારા મનુષ્યની વ્યવસ્થા, કાર્યકાલની નિયમસર વ્યવસ્થા, કાર્યસહાયકની અનુક્રમ વ્યવસ્થા, કાર્યકરવામાં જાયેલા વિચારોની કમસર વ્યવસ્થા અને તેમાં દ્રવ્ય ક્ષેત્રકાલભાવે ઉત્સર્ગ અને અપવાદ માર્ગ છે જે સામગ્રીઓ મેળવવાની હોય તેની કમસર વ્યવસ્થાના બેધને પામી અનુક્રમ વ્યવસ્થા પ્રમાણે કર્તવ્ય કાર્યો કરવામાં આવે તે ખરેખર કાર્યગીઓ આ વિશ્વમાં મહાકાર્યો કરવાને શક્તિમાન થઈ શકે છે. જે જે કાર્યો સ્વાધિકાર દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભારે ઉત્સર્ગ અને આપત્તિકારણે અપવાદમાર્ગથી કરવાનાં હોય તે તે કાર્યોની અનુક્રમ વ્યવસ્થાને પરિપૂર્ણ વિચાર કરે અને વ્યવસ્થા પ્રમાણે કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તવાને પરિપૂર્ણ વ્યવસ્થાથી પ્રવર્તવું એજ કાર્યાગીની પ્રવૃત્તિને મુખ્ય ઉપાય છે. સ્વબુદ્ધયનુસારે કાર્યની વ્યવસ્થા અને તેની કમળ્યવસ્થા ગોઠવવામાં જે જે ભૂલ રહી ગઈ હોય તેને દૂર કરવી અને તેમાં પરિણામિકબુદ્ધિવાળા કાર્યગીઓની સલાહ લેવી. પ્રત્યેક કાર્યવ્યવસ્થાશ્રમ ગોઠવવામાં બુદ્ધિની મહત્તા રહેલી છે અને કાર્યને વ્યવસ્થાક્રમવડે કરવામાં આત્મશક્તિની મહત્તા રહેલી છે. કેચિત્ મનુષ્ય એવા હોય છે કે કાર્યને વ્યવસ્થાકી અવધી શકે છે પરંતુ તે પ્રમાણે પ્રવૃત્તિ કરી શકતા નથી અને કેચિત્ મનુષ્ય એવા હોય છે કે કાર્યને વ્યવસ્થાક્રમ અવબોધી શકતા નથી પરંતુ કાર્યપ્રવૃત્તિઓને આદરે છે અને કેચિત્ મનુબે એવા હોય છે કે કાર્યના વ્યવસ્થા કમને સ્વબુદ્ધયા નિર્ણય કરે છે અને તે પ્રમાણે વ્યવસ્થાક્રમપૂર્વક કાર્યપ્રવૃત્તિમાં
૨૪
For Private And Personal Use Only