________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુમયજીવનદશા કરવા માટે સર્વત્ર પ્રેમથી આત્મભાવનાથી સ્વઆત્મસ્વરૂપને ધારણબળે સાક્ષાત્કાર કરવા માટે પ્રયત્ન કરવામાં કોઈ જાતને વિષેધ નથી ઉલટું તેથી જૈનદષ્ટિએ અનન્તગુણ લાભ સિદ્ધ થઈ શકે છે. કેવલાદ્વૈતદષ્ટિએ તેવી વ્યાપકભાવનામાં કઈ જાતને વિરોધ આવતું નથી અને પ્રભુમય જીવનની વ્યાપકતામાં વૃદ્ધિ કરી શકાય છે. શુદ્ધાદ્વૈતદષ્ટિએ પણ સર્વત્ર બ્રહ્મરૂપ પ્રભુને અવલેકવાથી પરમાનન્દની પ્રાપ્તિ કરી શકાય છે. વિશિષ્ટાદ્વૈતમાં સાપેક્ષ દષ્ટિએ સર્વત્ર અન્તર્યામી બ્રહ્મરૂપ આત્માને અવકવાથી રાગાદિ વૃત્તિની ક્ષીણતાની સાથે આત્માની અનન્ત શક્તિઓ ખીલે છે અને પશ્ચાત્ આત્મા અને પરમાત્માના અનત ગુણે એ બેના વિશિષ્ટ વિના અન્ય કોઈ વિશિષ્ટત્વ અનુભવાતું નથી. મુસલમાન ધર્મની દષ્ટિએ સર્વત્ર ખુદાના નૂરમાં આત્માને લીન કરવાથી સર્વત્ર ખુદાનું તેજ દેખવાના બળે સર્વત્ર સર્વ વિશ્વજીની અહિંસાભાવવૃત્તિ સાથે આત્મપ્રેમભાવ પ્રગટી શકે છે. ગોપીઓએ કૃષ્ણના પ્રેમબળે મટુકીમાં કૃષ્ણને દીઠા હતા અને તેથી તેઓ મહી ને બદલે કૃષ્ણ
-કેઈ કૃષ્ણ એ એવાં ગાણું ગાતી હતી અને તેથી તેઓ કૃષ્ણના હૃદયમાં પ્રવેશતી હતી. ધ્યાનના અધિકારવાળાં જૈનાગમાં ચઉદરોજ લેકમાં કારને વ્યાપક કરીને તેનું ધ્યાન કરવાનું લખ્યું છે તે સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપને દેખવાતી ધ્યાનભાવના ભાવવી એમાં તે કેણ વિરોધ લઈ શકે? સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપને દેખનારા મનુષ્ય સાત્વિક ભેગીઓ બની શકે છે અને તેઓજ સત્યકર્મગીઓ બનીને વિશ્વની ઉન્નતિનાં અને દુનિયાના મનુષ્યને સત્ય શાંતિ આપવાનાં કાર્યો કરી શકે છે. આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી પશ્ચાત્ આત્મધ્યાન કરવું જોઈએ. આત્મધ્યાનથી આત્માને આત્માના આવિર્ભાવ રૂપ ગુણની સાથે ચેગ, જોડાણ, સંબંધ થાય છે તેને વેગ કહેવામાં આવે છે. આત્મા પિતાના પરમાત્મ સ્વરૂપને પ્રકાશીને તેમાં જોડાય અને તે વડે પરમાનન્દને પામે તેને વેગ કહેવામાં આવે છે. દુનિયાદારિમાં જ હુ ર૪૫ કર્મો કરવામાં, જે કુશલતા પ્રાપ્ત કરવી તેને ચેગ કથવામાં આવે છે. સર્વત્ર
For Private And Personal Use Only