________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૨
એવી જ અવસ્થા થઈ જવાની, એમાં તિલમાત્ર પણ સંશય નથી. જે ક્ષણે કલહનું બીજ આપણું હૃદયક્ષેત્રમાં પિષાવા માંડે છે, તે ક્ષણેજ આપણે પરમેશ્વરના નિવાસસ્થાનના માર્ગને ત્યાગીને પશુ થવાના માર્ગમાં સંચાર કરીએ છીએ, એ સિદ્ધાંતને નિત્ય દઢતાથી ધ્યાનમાં રાખવાની અત્યંત આવશ્યકતા છે.
આપણું ધર્મનું સામાન્ય સ્વરૂપ આવા પ્રકારનું છે. આપણે ધર્મ સર્વને સમાન પ્રેમથીજ પિતાના બાહમાં ધારણ કરે છે, તે કોઈને પણ તિરસ્કાર કરતા નથી. આપણે હિંદુઓને ધર્મ એટલે અનેક જાતિએને અને અનેક કર્મોને એક ગુંચવાડે છે, એમ ઘણાકને ભાસે છે; પરંતુ જાતિભેદ અને હિંદુધર્મને પરસ્પર અવિભાજ્ય સંબંધ છે, એમ છેજ નહિ. અત્યારે એ જે સંબંધ દેખાય છે, તે કેવળ દશ્યાભાસજ છે. એક રાષ્ટ્ર તરીકે સજીવન રહેવાના કાર્યમાં એ સંસ્થા આપણને ઘણુજ ઉપયોગી થઈ પડી છે. “હવે આત્મસંરક્ષણ માટે કઈ પણ ઉપાયની આવશ્યકતા રહી નથી.” એ સમય જે આવી લાગશે, તે. તે વેળાએ એ સંસ્થાઓ પણ પિતાની મેળેજ નામશેષ થઈ જશે. આપણા આર્યાવર્તમાં એવી અનેક પ્રકારની રૂઢિઓ કાળ સાથે ઝંઝી ઝુંઝીને આજસૂધી જીવતી રહેલી છે; અને તેમનામાંને મારે પ્રેમ મારા વય સાથે વૃદ્ધિગત થતું જાય છે ! એક સમયમાં મને પિતાને પણ એમજ ભાસતું હતું કે, એવી અનેક રૂઢિઓ છે કે જેમને નિરૂપગી અને ત્યાજ્ય કહી શકાય; પણ જેમ જેમ મારા વયની વૃદ્ધિ થતી ગઈ, તેમ તેમ મારે એ અભિપ્રાય પણ ડગમગતે ગયે. એનું પરિણામ એ થયું કે, એ રૂઢિઓમાંની એક પણ રૂઢિને હવે અંતઃકરણ પૂર્વક શાપ આપવાની મારી ઈચ્છા નથી, અહે, કેટલાંક શતકને અનુભવ એ અઢિઓના ઉદરમાં ગર્ભસ્થ છે, એના વિચારની આવશ્યકતા નથી કે શું? ગઈ કાલે જ જન્મેલે કઈ બાળક જે મને આવીને એમ કહેવા માંડે કે તમે અમુક પદ્ધતિથી વર્તે, એ વધારે સારું છે? અને હું જે તેના બેલવા પ્રમાણે ચાલવા માંડું, તે પછી કેવળ મૂર્ખતા વિના મારા ભાગમાં બીજું શું આવવાનું હતું વારૂ ? બાહ્ય અનેક દેશમાંથી જે પ્રકારના ઉપદેશને અનુગ્રહ આપણા પર કરવામાં આવે
For Private And Personal Use Only