________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૮
છે. એ ઉપરથી અવધવાનું કે ભાષાવર્ગણારૂપી જડ પુદ્ગલેના ઉપગ્રહ વિના કેઈ પણ મનુષ્યને અદ્યપર્યન્ત પરમાત્મપદની પ્રાપ્તિ થઈ નથી અને થવાની નથી તેથી મહાત્માઓની ભાષાવર્ગણાદિ જડ વસ્તુએને જેટલે ઉપકાર માનીએ તેટલે ન્યૂન કથી શકાય. જડ વસ્તુ એની ક્રિયા દ્વારા જડ વસ્તુઓના ઉપગ્રહને અને જીની દેહાદિક
ગની ક્રિયા દ્વારા જીના ઉપકારને ગ્રહણ કરીને મનુષ્ય વ્યાવહારિક નૈશ્ચયિક પ્રગતિને સાધી શકે છે. આત્માને લાગનાર શુભ પુગલકંધ પુણ્યરૂપ છે અને તેથી તેના વિપાકની કિયા દ્વારા તેના દ્વારા થતી શાતાને મનુષ્યાદિ જ ભેગવી શકે છે અને ઉચ્ચપદની પ્રાપ્તિ પ્રતિ તેના ઉપગ્રહની ઉપગિતા અવધી તેને આદર કરી શકે છે. વ્યવહારનયથી પુણ્ય આદરવા ગ્ય છે તેનું કારણ પણ એજ છે કે આત્માના ઉચ્ચગુણોની પ્રાપ્તિમાં પુણ્યતત્ત્વ ખરેખર ઉપગ્રહકારક છે. પુણ્યનાં પુદગલેના ઉપગ્રહ વિના મનુષ્યભવની પ્રાપ્તિ થઈ શકે નહિ અને મનુષ્યભવ વિના મુક્તિ મળી શકે નહિ તે સત્ય સિદ્ધાંત છે. જડ દ્રવ્યના ઉપગ્રહને એક શ્વાસે શ્વાસ માત્ર પણ પ્રદ્યા વિના છૂટકે થતું નથી. આયુષ્યકર્મ જડ છે અને તેના વિના વિશ્વમાં જીવી શકાતું નથી. સાયન્સ વિદ્યા યાને પદાર્થવિજ્ઞાનથી પુગલદ્રવ્યસ્ક ધેનું વિજ્ઞાન કરાય છે અને તેથી જડપૈગલિક અનેક પ્રકારની શોધ કરી શકાય છે. આગગાડી–તાર-ટેલીફ્રેન વગેરે પદાર્થ શેથી જીવેને અનેક પ્રકારના ઉપગ્રહ થયા, થાય છે અને થશે. એકચકવાળી અગ્નિયંત્રની ગાડી પણ હવે ચાલવા માંડી છે. પાશ્ચાત્ય દેશમાં જડ પદાર્થ વિજ્ઞાનદ્વારા અનેક શોધ કરાય છે. અને તેથી મનુષ્યને ઉપગ્રહ થાય છે. ઈત્યાદિથી અવબોધી શકાશે કે વિશ્વવતિ સૂમમાં સૂમિ પ્રત્યેક પદાર્થ, સ્વધર્મની ક્રિયા વડે ક્ષણે ક્ષણે પ્રવૃત્ત થઈ અને ઉપગ્રહ કરી રહે છે. અકર્મથી વિમુક્ત અને બાહ્ય પિલ્ગલિક કિયાઓથી વિમુક્ત સિદ્ધ પરમાત્માએ પણ ભકતોના હૃદયમાં ધ્યેયભૂત બનીને ભક્તોના હૃદયની શુદ્ધિરૂપ કાર્યમાં નિમિત્તકારણભૂત થઈને ઉપગ્રહ કરી રહ્યા છે, તેથી તેઓના ઉપગ્રહ તળે વિશ્વવતિસર્વ ભવ્યમનુષ્ય અને દેવતાઓ વિદ્યમાન છે. આ
For Private And Personal Use Only