________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૫
તેના ભાગ્યમાં પરાજય-પરતંત્રતા રહે છે. પૃથુરાજ ચાહાણુ વગેરે આર્યદેશીય રાજાએ સ્વસુખપ્રદ સંયોગો કરતાં દુ:ખપ્રદ સયેાગ પ્રતિ વિશેષ લક્ષ્ય આપ્યું હોત તે તેઓ શાહબુદ્દીનની પ્રત્યેક સ્વારીને વર્ષોના વર્ષ પર્યન્ત પહોંચી શકે એવું સ્વ સૈન્યમલ પ્રાપ્ત કરી શકત. કભુતર જે વખતે કબુતરીની સાથે મસ્તીમાં લીન થઇ દુઃખસંચાગાને ભૂલી જઈ અસાવધાન બને છે તેજ સમયે માજ તેના ઉપર ઝડપ મારીને તેને પકડી મારી નાખે છે. મૂષક જે વખતે ખિલાડીથી અસાવધાન રહે છે. તેજ સમયે બિલાડી તેને ઝડપી લે છે. પ્રત્યેક વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર કેમ જ્યારે સુખપ્રદ સંયોગા અને દુઃખપ્રઢ સંયોગે એ એના ઉપયોગને ભૂલી આલસ્ય, નિદ્રા, નિંદા, વિષય કષાયથી પ્રમત્ત અને છે તેમજ વખતે દુઃખસંયોગોના કોઇ પણ રીતે તેનાપર હુમલા થાય છે અને તેની પ્રગતિનો નાશ થાય છે. અતએવ પ્રત્યેક મનુષ્યે દુઃખપ્રદ શત્રુઓ, રાગે, ઉપાધિયા વગેરે સંયેાગના સામું ટકી રહેવાને અને સુખપ્રદ માનસિક, વાચિક, કાયિક, લક્ષ્મી, સત્તા અને શ્રીજી શક્તિયે મેળવવા માટે ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરવે જોઇએ. જેમાં પ્રમાદને વાસ થયે તેના નાશ થાય છે. આલસ્ય, નિન્દા, નિદ્રા, વિષયવાસના અને કષાયેાથી વ્યાવહારિક વા ધામિક પ્રગતિની સજીવનતા રહેતી નથી. જે મનુષ્ય પોતાના સામા સુખદુ:ખપ્રદ સંયોગોને દરરોજ વિવેકથી દેખ્યા કરે છે તે દુઃખપ્રદ સંયાગાને કાર્યપ્રવૃત્તિમાં આવતાંજ અનેક ઉપાયોથી દૂર કરે છે. આ પ્રમાણે હૃદયમાં પરિપૂર્ણ નિર્ધારીને હું મનુષ્ય ! તું કાર્યપ્રવૃત્તિનો આરંભ કર અને કાર્યપ્રવૃત્તિનો આરંભ કર્યા પશ્ચાત્ કાટી વિઘ્ન આવે તોપણ અત્યંત સાવધાન અની કાર્યપ્રવૃત્તિને છેાડ નહિ. કાર્યપ્રવૃત્તિ આરંભ્યા પશ્ચાત્ તે આ પાર કે પેલે પાર એવા સ્થિર નિશ્ચય કરીને કાર્ય કર. કાર્ય પ્રારંભ્યા પશ્ચાત્ તે દુઃખપ્રદ સંચાગના નાશ કરવા પ્રતિ અલ્પદોષ અને મહાલાભષ્ટિએ ખરા 'તઃકરણથી પ્રયત્ન કરવા જોઇએ. આર્યદેશીય રાજપૂતાની પેઠે કાર્યપ્રવૃત્તિ આરંભ્યા પશ્ચાત્ કર્તવ્યરણક્ષેત્રમાં કેશરીયાં કરીને લડવું જોઈએ કે જેથી વિજ્યશ્રીને આ ભવમાં વા પરભવમાં પણ પ્રાપ્ત કરી શકાય. આ સંબંધી નીચેનું પદ મનન કરવું જોઇએ.
For Private And Personal Use Only