Book Title: Karmagrantha Part 6 Sapttika Nama
Author(s): Chandrashi Mahattar, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ગાથા : ૭૮
ટ્ટો કર્મગ્રંથ
ત્યારબાદ હજારો સ્થિતિઘાત પસાર થયે છતે મોહનીયનો બંધ પણ ૧ પલ્યોપમ પ્રમાણ થાય છે. ત્યારથી તેનો પણ નવો-નવો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતા ભાગ ન્યૂન કરે છે. આમ થતાં સાતે કર્મોનો સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતા ભાગે ન્યૂન ન્યૂન કરે છે. એટલે કે પલ્યોપમના એક સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિબંધ કરે છે. જ્યારે મોહનીયનો બંધ ૧ પલ્યોપમનો થયો ત્યારે તેનુ અલ્પબહુત્વ આ પ્રમાણે હોય છે.
૨૬૬
(૧) નામ-ગોત્ર કર્મનો સ્થિતિબંધ સૌથી અલ્પ.
(૨) તેનાથી જ્ઞાનાવરણીયાદિ ૪ કર્મોનો બંધ સંખ્યાતગણો.
(૩) તેનાથી મોહનીયનો સ્થિતિબંધ સંખ્યાતગણો.
મોહનીયનો બંધ ૧ પલ્યોપમ થાય ત્યાર પછી હજારો સ્થિતિઘાત જાય ત્યારે નામ-ગોત્રનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનો કરે છે. ત્યારબાદ હજારો સ્થિતિઘાત ગયે છતે જ્ઞાનાવરણીયાદિ ૪ કર્મનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગનો સ્થિતિબંધ કરે છે. ત્યારબાદ હજારો સ્થિતિઘાત ગયે છતે મોહનીયનો પણ સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કરે છે. તે કાલે સાતે કર્મોનો સ્થિતિબંધ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનો થાય છે. તેનું અલ્પ-બહુત્વ આ પ્રમાણે છે.
(૧) નામ-ગોત્રનો બંધ. સૌથી અલ્પ.
(૨) તેનાથી જ્ઞાનાવરણીયાદિ ૪ કર્મોનો બંધ અસંખ્યાત ગુણો
(૩) તેનાથી મોહનીયનો બંધ, અસંખ્યાત ગુણો
આ સઘળી ચર્ચા સ્થિતિબંધને આશ્રયીને જાણવી. જ્યારે મોહનીયકર્મનો બંધ પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનો થાય, ત્યારે સાતે કર્મોની સ્થિતિસત્તા સહસ્રપૃથ સાગરોપમ પ્રમાણ થાય છે.
ત્યારબાદ હજારો સ્થિતિઘાત ગયે છતે આ જીવમાં એવો એક વિશિષ્ટ ઉત્તમ અધ્યવસાય આવે છે કે જેના કારણે એક જ પ્રહાર (ઝાટકા) માત્રમાં મોહનીય કર્મનો બંધ જ્ઞાનાવરણીયાદિ ૪ કર્મોથી અસંખ્યાતગુણ હીન કરે છે. ત્યારે ક્રમ આ પ્રમાણે બની જાય છે (૧) નામ-ગોત્રનો સહુથી અલ્પ, (૨) મોહનીય, (૩) જ્ઞાનાવરણીયાદિ ૪ કર્મોનો ક્રમશઃ અસંખ્યાતગુણ બંધ.
ત્યારબાદ હજારો સ્થિતિઘાત ગયે છતે એક જ પ્રહાર વડે મોહનીયનો બંધ, નામ-ગોત્રથી પણ અસંખ્યાતગુણ હીન કરે છે. ત્યારે ક્રમ આવો બને છે (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org