Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 37
________________ STARTSESERSERSRSRSRSRERS હૈિ કમાન પરનો પત્થરનો તીરકસ, અને પત્થરની ખેંચી, ઇત્યાદિથી પત્થરના બોજને છે જુદી જુદી રીતે વહેચી નાખી સ્થાનને મજબુત કરેલ છે. વળી અષ્ટકોણ તોરણ ચોડેલ છે અને ઘુમટમાં તથા છત્ર ઉપર અનેક વિધ આકૃતિઓ કોતરેલ છે, રંગમંડપની આગળ મંદિર છે જેમાં મધ્ય સિંહાસન ઉપર પદ્માસને આદિનાથની મૂર્તિ બેસાડેલ છે મંદિરના ચોકની પર કમાનોમાં જીનમૂર્તિઓ બેસાડેલ છે મુર્તિ, કમાન, ખાંભ, કડીપાટ અને પુરાણિક કથા ભાગની કોતરણીમાં સંગેમરમરી પત્થરનો જ ઉપયોગ થયેલ છે કડીપાટના ઉપરના ભાગમાં પણ સુંદર આકૃતિઓ કાઢેલ છે. અત્યારે આ પ્રાસાદ આવી સ્થીતિમાં છે, પણ તે પૂર્વે કઈ સ્થીતિમાં હશે તે કલ્પી શકાતું નથી, કેમકે વિમલ મંત્રિના અર્બદ પ્રાસાદનો સં. ૧૩૩૯ માં દિલ્હી બાદશાહ ઘોઘર સુરત્રાણે (?) તોડીને મુલમાંથી નાશ કર્યો હતો એમ કહેવાય છે જે જેથી આ દેખાતો અબૂદ પ્રાસાદ ત્યારપછી હૈયાતિમાં આવેલ છે. જોકે તેની કારીગરી જોવાથી તો તે વિમલ વખતનો હોવાનું અનુમાન કરી શકાય છે પરંતુ તે ણ વિમલ મંત્રીમે કરાવેલો પ્રાસાદ નથી તે બીના જો સાચી હોયતો એમ શંકાવાનું આ સ્થાન મળે છે કે વિમલ મંત્રિનો પ્રાસાદ કેટલો બધો મનોહર હશે! આ મંદિરનું સમારકામ સં. ૧૬૭૫ માં વિજયાનંદસૂરિના ઉપદેશથી શીરોહીવાસી પોટલીયા ગોત્રીશા આંબા વીરપાલે કરાવ્યું હતું. દેલવાડાનું બીજું મંદીર પરમારધારાવર્ષના અરસામાં વાઘેલા વિરધવલના મંત્રી વસ્તુપાળ અને તેજપાળે પોતાના મોટાભાઈ લુણિગના શ્રેય માટે (સંવત છે ૧૨૮૬ થી ૧૨૯૬ સુધીમાં) કરાવેલ છે. મંદિરમાં મધ્ય સિંહાસને “નેમનાથ” અને બે બાજુ શાંતિનાથની મુર્તિયો સ્થાપેલ છે. મંદીરની ફરતો પ્રશસ્ત વિશાલ ચોક છે. તેના દરવાજાના માથા ઉપર આ દેરાણી, જેઠાણી અને દ્વારપાલની મુર્તિઓ છે દરેક સ્થાનની કોતરણીમાં આબેહુબ જે શીલ્પ કલાનો નમુનો છે દેવાલયના પગથીયાની ઉગમણી બાજુયે શીલા પર ૭૯ જીનબીબો છે મંડપ સંગેમરમરીનો બનાવેલ છે ને તેમાં સારી ખાંભો નાખેલ છે (૨૪) నానాననాననాననాననాననాననాననాననాననననన Jain Educationa International For Personal and Private Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78