Book Title: Jain Tirthono Itihas
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 59
________________ શિક્ષણણણણણણણણણણણણણણણણણણણણ (ગોધા (ર) ભરૂચથી ૧૭ કોશ દુર ગંધાર નગર છે જ્યાં પુરાણા કાળનું અમીજરા પાર્શ્વનાથ અને સં. ૧૫૦૦નું મહાવીર સ્વામીનું મંદિર છે. આ બન્ને મંદિર પ્રાચીન દાનવીરતાના મુંગા શીલાલેખો છે. ભદ્રેશ્વર) કચ્છ દેશમાં અંજારથી દશેક ગાઉ દુર વસઈ ગામ છે, ત્યાં ભદ્રેશ્વર છે નામે પુરાણું સ્થાન છે. અહીં પ્રથમ ભદ્રાવતી નામે મોટું નગર હતું, અને છે એક વખતે આદર્શ બ્રહ્મચારી વિજયશેઠ અને વિજયાશેઠાણી જેવા નરરત્નોને છે પોતાની ગોદમાં સાચવતું હતું, પરંતુ કાળના પ્રભાવે માત્ર આલીશાન મંદીર સિવાય ત્યાં કાંઈ પણ નજરે પડતું નથી. અહીં વીરનીર્વાણથી ૨૩મે વર્ષે દેવચંદ્ર નામના શ્રાવકે પાર્શ્વનાથનું બીબ સ્થાપ્યું હતું, જેનો શીલાલેખ પાલીને મળતી ભાષાથી તામ્રપટમાં કોતરેલ છે. આ મૂળ પટ ભૂજના કોઈ યતિ પાસે છે. અને તેની નકલ ભદ્રેશ્વરના મંદીરમાં સાચવી રાખેલ છે, તેમજ કચ્છની ભૂગોળમાં પણ છપાઈ ગયેલ છે. - ત્યાર પછી આ મંદીરનો ઉદ્ધાર તેરમી સદીના આદિકાળમાં કુમારપાળે અને સં. ૧૩૨૩ પછીના વર્ષમાં જગડુશાહે કર્યો હતો. ત્યાર પછી આ મંદિરની મુર્તિઓ બાવાના કબજામાં ગઈ હતી. પણ અંતે છેલ્લો ઉદ્ધાર તથા પ્રતિષ્ઠા સોળમાં સૈકામાં થયેલ છે, જ્યારે મુખ્ય આસને મહાવીર સ્વામીની અને પાછળની દેરીમાં પાર્શ્વનાથ પ્રભુની મુર્તિ બેસાડેલ છે. અત્યારે આ મંદીર ૪૫૦ ફુટ લાંબા અને ૩૦૦ ફુટ પહોળા કંપાઉંડના મધ્ય ભાગમાં માલુમ પડે છે. તેની ડાબી બાજુ ઉપાશ્રય અને ચારે તરફ યાત્રાળુ માટેની (૪૬) ಗಣಿತನನನನನನನನನನನನಿತನಿಖಿತನಿಖಚಿತತೆ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78