________________
PANALANKANNANIR
P P P C L L L L L P F F F F F F F F F F F FR પ્રારંભ કર્યો, અને તે કરીને જગતને વિશાલ જ્ઞાન વારસો આપ્યો.
ત્યાર પછી સં. ૧૩૬૨માં તે પ્રભાવશાળી મુર્તિની ખંભાતથી પાંચ કોશ દુર થાંભણમાં સ્થાપના કરી હતી, જે અત્યારે તો ખંભાતમાં પોતાનો પ્રભાવ પાથરી રહેલ છે.
અશ્વાવબોધ
રામચંદ્રના રાજ્યકાલની પુર્વે હરિવંશોત્પન્ન સુમિત્રરાજા મગધમાં રાજ્ય કરતો હતો, તેને પદ્માવતી રાણીથી મુનિસુવ્રત નામે પુત્રનો જન્મ થયો. તેમણે દીક્ષા લઇ ઘાતીકર્મનો નાશ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, અને વીશમા તીર્થંકર તરીકે જગપ્રસિદ્ધ થયા. એક દીવસે તેમણે આવતી કાલે મારા પૂર્વભવના સ્નેહી ઘોડાનો ભરૂચના યજ્ઞકુંડમાં હોમ થવાનો છે” એમ જાણી રાત્રે વિહાર કરી પ્રતિષ્ઠાનપુરથી સિદ્ધપુર થઇ ૬૦ યોજનની મજલ કાપી સવાર થતાં ભરૂચના કોરંટક ઉધાનમાં આવી પહોચ્યા. દીવસે સમવસરણમાં બીરાજી ઉપદેશની ધારા વરસાવી દેશનાની પુર્ણાહુતિ થતાં ભરૂચના જિતશત્રુ રાજાએ પુછ્યું કે-હે જગનાથ ! આપની દેશનાથી આ સભામાં કોણ કોણ ધર્મ પામ્યા છે ?
પ્રભુએ જણાવ્યું ક-માત્ર આ તારો અશ્વ જ પ્રતિબોધ પામેલ છે, બીજા કોઇને ધર્મપ્રાપ્તિ થઇ નથી.
રાજાએ પુછ્યું કે- આ અશ્વ કોણ છે કે જેને ધર્મની પ્રાપ્તિ થઇ. દેવાધિદેવે જણાવ્યું કે એક ભવે હું ચંપાનગરમાં સુર નામે શેઠ હતો ત્યારે એ મંત્રીસાગર મંત્રી નામે એક મારો મિત્ર હતો. તે ઘણાં ભવો કરી પદ્મીની ખંડમાં સાગરદત્ત નામે વણિક થયો. તેણે પોતાના શ્રાવક મિત્ર સાથે ઉપાશ્રયમાં જતાં જીનબીંબ ભરાવ્યાનું મહાન ફળ સાંભળી સોનાનું જીનબીંબ કરાવી પોતાના ઘરમાં સ્થાપ્યું. ત્યાર પહેલાં તેણે એક શીવાલય કરાવ્યું હતું, જેથી ઉત્તરાયણને દીવસે તે શીવાલયમાં દર્શન કરવા ગયો, ત્યાં ઘીના ઘડા ઉપર (૪૨)
N N N N N N N N N N N N N N N N N N N NAJJ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org