________________
NNNNNAR
J N N N N N NN
RRRRRRR R R R R R R R R R R R R
મંડપને ૨૬ ખાંભોથી ચોક સાથે જોડેલ છે મંડપના ઘુમટમાં લંબક છોડેલ છે આ લંબકમાં એવી કળાપૂર્ણતા જણાય છે કેઃ- જાણે તે કમલ ગુચ્છો સ્ફટીકના જ ન હોય? મંડપના ખાંભાની અને કડીપાટની આકૃતિ પ્રમાણબદ્ધ અને સૌંદર્ય પૂર્ણ છે. ચોકમાં ૩૯ કમાનો હોઇ દરેકમાં જીનમૂર્તિયો છે.
મંદીરના પાછલા ભાગમાં દશહાથીની આકૃતિવાળું હાથીખાનું છે તેમાં ઝુલ,શુંઢ,અને અલંકારની કોતરણીમાં પણ કૌતુક ઉપજાવનાર દ્રષ્યો છે. આ દરેક હાથી ઉપર વસ્તુપાળના કુટુંબીની દશ મૂર્તિઓ હતી જે મુસલમાની યુગમાં નાશ પામેલ છે પણ તેની યાદીઓ શીલાલેખરૂપે કોતરાઇ રહેલ છે.
હાથીખાનાની પછવાડે વસ્તુપાલના કુટુંબની તથા આચાર્યોની આકૃતિઓ છે મંડપ મધ્યના કમળગુચ્છ અને અર્ધ ખીલેલ કમળદળનું કૌશલ્ય જોઇ તેના બનાવનાર માટે અને બનાવવામાં સહાય કરનાર માટે મુખ્યત્વે ધન્યવાદના ઉદ્ગાર નીળવા માંડે છે આર્યાવર્તના પ્રાચીન શીલ્પના આ સ્મારકો અભિમાન અને આનંદ પ્રકટાવે છે. વસ્તુપાલે છત્રીશમુડા(૬૨૨૦૮૦૦) દ્રમ્મો પાથરી માતાના બોટકો પાસેથી જમીન ખરીદી હતી અને તે જમીન ઉપર ૧૨૫૩૦૦૦૦૦ દ્રવ્યનો વ્યય કરી આ નેમનાથનું મંદિર તૈયાર કરેલ છે. મંદીરનું કામ ઉદાની Ěખરેખ નીચે ચાલતું હતું. તેજપાલની પત્ની અનુપમાદેવી પણ - તે કાર્યમાં કીતિ મદદ આપતી હતી - જરૂરી બુદ્ધિભોગ આપતી હતી. આ પ્રમાણે દશ વર્ષે મંદિર તૈયાર થયેલ છે.
આ દેવાલય બંધાવવાના ત્રણ કારણો સંભળાય છે.
૧ - હડાળામાં ઘન દાટવા જતાં ઉલટું ધન મળ્યું જેથી અપાર સંપત્તિનો શો ઉપયોગ કરવો એ વિવેચનમાં ડહાપણવાળી-અનુપમાદેવીયે ડુંગર ઉપર તે દ્રવ્યનો ઉપયોગ કરવાનું જણાવ્યું જે કથન સર્વને રૂચિકર થઇ પડયું અને અંતે (શત્રુંજય, ગીરનારના મંદિરોની પેઠે આબુ ઉપર) આ જીનમંદિર અસ્તિત્વમાં આવ્યું છે.
ર શીલ્પીયો હથીયાર વડે જેટલાં પથરા કોતરી બહાર કાઢે તેની
-
ભારોભાર મજુરીના રૂપૈયા આપી કળાના નમુના રૂપ આ મંદિર તૈયાર કરેલ છે
(૨૫)
SPIPA PANINI NNNNNNNNNN
IP P P P P P N N N N N N N N N N N N N N N N N Mary
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International