________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ સાતમું આ પ્રસંગે એક વિનંતી કરવાની રજા લઈએ છીએ કે સમિતિ પાસે પુસ્તકનો સંગ્રહ બહુ જ અલ્પ છે–બિલકુલ નથી એમ પણ કહી શકાય. અને આવા શાસ્ત્રીય અને ઐતિહાસિક કાર્ય માટે પુષ્કળ પુસ્તકની જરૂર રહે એ સ્વાભાવિક છે. સમિતિ પિતાના ખર્ચે પુસ્તકો વસાવી શકે એવી એની સ્થિતિ નથી. એટલે સર્વ જૈન પ્રકાશન સંસ્થાઓ અને સર્વે પૂજ્ય મુનિમહારાજોને અમારી પ્રાર્થના છે કે તેઓ તરફથી પ્રગટ થતાં પુસ્તકની એક એક નકલ સમિતિને ભેટ મોકલવાની કૃપા કરે.
જેને ધર્મ ઉપર કઈ પણ પ્રકારના આક્ષેપો જેવામાં–વાંચવામાં આવે તે તેની જાણ સમિતિને કરવાની તથા બની શકે તો તે પુસ્તક યા પત્રની એક નકલ સમિતિને પૂરી પાડવાની અમે સૌને વિનંતી કરીએ છીએ.
પ્રાન્ત—અમે ઇચ્છીએ છીએ કે સૌ કોઈ આ માસિક અને આ સમિતિની ઉપયોગિતાને વિચાર કરે અને જેને મદદ કરવા-કરાવવાની આજ્ઞા મુનિસમેલને ફરમાવી છે તે સમિતિને પૂજ્ય મુનિ મહારાજે તથા સદ્ગસ્થ પિતાથી બનતે વધુમાં વધુ સહકાર આપે! અસ્તુ.
આ દીપોત્સવી અંકના કામકાજના રોકાણ અંગે પત્રોના જવાબ આપવા વગેરેમાં જે કંઈ અવ્યવસ્થા થઈ હોય તે માટે અમે ક્ષમા માગીએ છીએ.
-વ્યવસ્થાપક.
-
-
For Private And Personal Use Only