Book Title: Jain Sahityana Akshar Aradhako
Author(s): Malti Shah
Publisher: Virtattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 529
________________ કર્યું. જુદાજુદા જ્ઞાનભંડારોની અવ્યવસ્થામાં વ્યવસ્થા લાવવાના પ્રયત્ન રૂપે, અત્યંત પરિશ્રમ ઉઠાવી ભંડારોનાં સુદીર્ઘ સૂચિપત્રો જાતે જ તૈયાર કર્યા. અંતે એમના પ્રયાસથી પાટણમાં હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરની સ્થાપના થઈ. દીક્ષાનાં શરૂઆતનાં વર્ષોમાં પંડિત સુખલાલજી તથા અન્ય શિક્ષકો પાસેથી ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. જેમાં સંસ્કૃત માર્ગોપદેશિકા, “સિદ્ધહેમ લઘુવૃત્તિ', હેમલઘુપ્રક્રિયા', “ચંદ્રપ્રભા વ્યાકરણ’, ‘હિતોપદેશ', ‘દશકુમારચરિત' વગેરે શાસ્ત્રો અને ગ્રંથોનું પરિશીલન કર્યું. કાવ્યાનુશાસન, તિલકમંજરી', “તર્ક સંગ્રહ' તેમ જ છંદોનુશાસન જેવા પ્રશિષ્ટ અભ્યાસગ્રંથોનું વિગતે પરિશીલન કર્યું. આ બધા અભ્યાસે એમના જ્ઞાનની ક્ષિતિજો અને દૃષ્ટિકોણોનો અદ્ભુત વિકાસ કર્યો. એમના આ અભ્યાસકાળમાં આપણને એક સત્ત્વનિષ્ઠ અને સત્યનિષ્ઠ જ્ઞાનસાધકનાં દર્શન થાય છે. એક સાચા વિદ્યાર્થીને છાજે તેવી ઉત્કટ જિજ્ઞાસા, ઉચ્ચ બુદ્ધિમત્તા, જ્ઞાનોપાસના અને શ્રમસાધના અને ઉદાહરણીય વિનમ્રતાનાં મુનિશ્રીજીમાં જે દર્શન થાય છે તે અદ્દભુત પ્રેરણાબળ આપનારાં છે. કોઈ વિષયનો એકધારો સળંગ અભ્યાસ કે પછી અમુક વર્ષો સુધી એકાગ્ર બની અભ્યાસ કર્યા પછી પ્રાચીન પ્રતો વાંચવાનું કે પ્રાચીન ગ્રંથોના સંશોધનનું કાર્ય શરૂ થયું હોય તેવું તેમના જીવનમાં બન્યું ન હતું. વિદ્યાભ્યાસની સાથે શાસ્ત્ર-સંશોધનની પ્રવૃત્તિ પણ ચાલતી જ રહી. સંશોધન અને કેળવણી અન્યોન્ય પૂરક બન્યાં હતાં. | મુનિશ્રીજીની સંશોધન પ્રવૃત્તિનો આરંભ મુનિ રામચંદ્રરચિત સંસ્કૃત કૌમુદી - મિત્રાનંદનાટકનું ઈ. ૧૯૧૭માં સંપાદન કર્યું. ત્યારથી ગણી શકાય. ત્યાર પછી ૧૩મી સદીમાં થયેલા મુનિ રામભદ્રના પ્રબુદ્ધ રૌહિણેય’ નાટકનું સંપાદન કર્યું. એ જ અરસામાં આચાર્ય મેઘપ્રભુનું ધમલ્યુદય – છાયા’ નાટક સંપાદિત કર્યું. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત “ઐન્દ્રસ્તુતિ – ચતુર્વિશતિકાનું સંપાદન એમણે ઈ. ૧૯૨૮માં કર્યું. સંપાદક તરીકેની એમની ખ્યાતિ મુખ્યત્વે ઈ. ૧૯૩૩થી ૪૨ સુધીમાં પ્રગટ થયેલ “બૃહત્કલ્પસૂત્રના નિર્યુક્તિ અને ટીકા સાથેના છ ભાગ, ‘વસુદેવ હિંડીના બે ભાગ તથા અંગવિજ્જા, “આખ્યાનક મણિકોશ', “કલ્પસૂત્ર', નંદિસૂત્ર' વગેરે પર આધારિત છે. અનેક જ્ઞાનભંડારોની ચીવટપૂર્વક તૈયાર કરેલી ગ્રંથસૂચિઓ એમની અથાક શ્રમશીલતા અને અભુત ધીરજની દ્યોતક છે. જેસલમેરના ગ્રંથભંડારની પ્રવૃત્તિ દાદ માગી લે તેવી છે. જેસલમેરના વિશાળ અને વિકટ ગણાતા ગ્રંથભંડારનું સંશોધન કરવાના અડંગ નિર્ધાર સાથે આશરે ઈ. સ. ૧૯૫૦માં અમદાવાદથી રેલવેના પાટે પાટે પદયાત્રા આરંભી, હો ફાટતાં પહેલાનાં અંધારામાં ચાલતાં ચાલતાં તેઓ પંદરથી સત્તર ફૂટ ઊંડા એક ગરનાળામાં પછડાયા ! પરંતુ દેવીકૃપાએ આબાદ રીતે ઊગરી ગયા અને ઊભા થઈને ફરી તેર માઈલનો પગપાળા પ્રવાસ કાપ્યો. ૪૮૦ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર આરાધકો

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642