Book Title: Jain Sahityana Akshar Aradhako
Author(s): Malti Shah
Publisher: Virtattva Prakashak Mandal

View full book text
Previous | Next

Page 548
________________ વિદ્વાનોનો સાથ અને સહકાર લેવાનું નક્કી થયું. આમ શાસનને અતિ ઉપયોગી એક મહાયજ્ઞનું મંડાણ થયું. સૌ પ્રથમ સુરતમાં બિરાજમાન પ.પૂ. શ્રી આનંદસાગરસૂરિજીની સલાહ લેવામાં આવી. તેમણે રચનામાં સંપૂર્ણ કાળજી રાખવાની સલાહ આપી અને ધીરજભાઈની કાબેલિયત પર વિશ્વાસ દર્શાવ્યો. મહારાજસાહેબે મસ્તકે વાસક્ષેપ નાખી આશીર્વાદ આપ્યા. વડોદરામાં પુ. મુની શ્રી પુણ્યવિજયજીએ પણ યોજના સાંભળી ઉપયોગી સૂચનો આપ્યા. અમદાવાદમાં પપૂ.આ.શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજને પોતાની યોજના જણાવી. હાથ જોડીને વિનંતી કરી અને ગ્રંથ તૈયાર કરશું પણ તેમાં કાંઈ ભૂલ ન રહી જાય તેને માટે આપના સમુદાયના કોઈ વિદ્વાન સાધુ તે લખાણ જોઈ આપે. આચાર્યશ્રીએ પોતાના વિદ્વાન શિષ્ય પ.પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય, જેઓ આવશ્યક નિર્યુક્તિના અઠંગ અભ્યાસી હતા, તેમને આ લખાણનું પૂફ રીડીંગ તથા સંશોધન કરવા આજ્ઞા આપી, જે તેમણે સહર્ષ શિરોમાન્ય કરી. પાલિતાણામાં કદંબગીરીમાં પ.પૂ. આ. શ્રી વિજયોદયસૂરીશ્વરજી આદી . બિરાજતા હતા. તેમને પણ સહકાર માટે વિનંતી કરી. તેમણે પણ હામી ભરી કે પોતાના વતી પોતાના વિદ્વાન શિષ્ય પ.પૂ. પંન્યાસ શ્રી ધૂરંધરવિજયજીગણિ આપને મદદ કરશે. આમ સાધુ સંસ્થા તરફથી સુંદર સાથ અને સહકાર મળ્યો. ઐતિહાસિક અને વ્યાકરણ સંબંધી કોઈ ભૂલ ન રહી જાય તે માટે વડોદરા જઈ ત્યાં રહેતા વિદ્વાન પંડિત શ્રી લાલચંદ્ર ભગવાન ગાંધીને વિનંતી કરતા તેમણે હામી ભરી. હવે વિવિધ જગાએથી ગ્રંથો મુંબઈમાં લાવવામાં આવતા. જામનગરથી વિમાનમાં, અમદાવાદથી સરસ્વતી ભંડારથી તથા અન્ય સ્થળોએથી પણ પુસ્તકો આવતા. આમ એક વિશાળ પુસ્તકાલય ઊભું થઈ ગયું. પ્રતિક્રમણમાં કરવામાં વિવિધ આસનો માટેના યોગના યોગ્ય આસનોના અભ્યાસ માટે પોંડેચેરી શ્રી અરવિંદ આશ્રમની મુલાકાત તથા તિરુવણામલાઈ શ્રી રમણ મહર્ષિના આશ્રમની મુલાકાત લીધી. આ ગ્રંથની રચના માટે ધીરજભાઈએ અનેક વિદ્વાનો સાથે ચર્ચા વિચારણા કરી, અનેક ગ્રંથો વાંચ્યા, અનેક શબ્દકોશો જોયા. ઘણા બધા પ્રવાસો કર્યા. એમના મનમાં એક જ લગન હતી કે પ્રબોધટીકાને એક પ્રમાણભૂત ઉત્તમ કૃતિ બનાવવી. છથી સાત વરસના શ્રી ધીરજભાઈના પરિશ્રમ અને શ્રી અમૃતલાલ શેઠના સાથ અને સહકારથી જિનશાસનને પ્રતિક્રમણસૂત્ર પર પ્રબોધટીકા નામનો સવગી સુંદર અણંગ ગ્રંથ મળ્યો. ગ્રંથ ત્રણ ભાગમાં પ્રગટ કરવાનું નક્કી થયું. દરેક ભાગ લગભગ છસોથી સાતસો પાનાનો થયો. પડતર કિંમત બારેક રૂપિયા જેવી હતી પણ જ્ઞાનનો ફેલાવો થાય તેવા આશયથી દરેક ભાગનું મૂલ્ય માત્ર પાંચ રૂપિયા રાખવામાં આવ્યું. શતાવધાની શ્રી ધીરજલાલ ટોકરશી શાહ + ૪૯૯

Loading...

Page Navigation
1 ... 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642