Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute

Previous | Next

Page 45
________________ ૩૪ જૈન દર્શનમાં નય ભરે છે ? તે તું જો તો ખરો. આવા લોકોનાં ટોળાં જોઈને યશોવિજયનો આત્મા કકળી ઊઠ્યો હશે તેથી જ જણાવે છે કે અજ્ઞાનીઓનાં ટોળાં એકઠાં થાય તો તે જ્ઞાની બની જતાં નથી. સેંકડો અંધજન એકઠાં થાય તો પણ તે બધાં દેખતાં થઈ જતાં નથી. માટે તે બધાં જ આત્મસાધના બાબતે તો અકુશળ છે. આવા જ્ઞાનરહિત લોકો જિનશાસનનું ધન ચોરી રહ્યા છે. તેવા શિથિલ લોકોનો હું ત્યાગ કરું છું. - સોળમી ઢાળમાં એક મહત્ત્વપૂર્ણ પ્રશ્નની ચર્ચા કરી છે. કહે છે કે જ્ઞાનમાર્ગ આટલો ઉત્તમ છે તો પછી આગમો બધા લોકભાષા પ્રાકૃતમાં કેમ કહ્યા ? ઉત્તરમાં જણાવે છે કે મોક્ષાર્થીને માટે પ્રાકૃતમાં રચના કરી છે. ટબામાં જણાવ્યું છે કે बालस्त्री-मन्दमूर्खाणां नृणां चारित्रकाङ्क्षिणाम् अनुग्रहार्थं तत्त्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः । અને આગમ વચન ઉપર પોતાની શ્રદ્ધા દર્શાવવા જણાવે છે કે સામાન્ય મ જાણો, એ તો જિન બ્રહ્માણી ભલી પરિ સાંભલો તત્ત્વવયણની ખાણી એ શુભમતિ માતા, દુર્મતિ-વેલી-કૃપાણી, એ શિવસુખ સુરતરુફલરસ સ્વાદ નિસાણી કેટલીક હિતશિક્ષા પણ આપેલી છે. શકિત હૃદયયુક્ત આત્મા વડે સમાધિ-શાંતિ મેળવી શકાતી નથી. જો કે ગધેડો પારકી દ્રાક્ષ ચરી જાય, તેમાં આપણને તો કાંઈ પણ નુકસાન થતું જ નથી, પરંતુ એ અયોગ્ય ઘટના જોઈને મનમાં દુઃખ તો થાય જ. ગીતાર્થના વચને કરીને હળાહળ ઝેર પીવું સારું, પરંતુ અગીતાર્થના વચને અમૃત પણ ન પીવું જોઈએ. ધોળા વાળ આવી જવા છતાં જ્ઞાનાભ્યાસ ચાલુ રાખવો જોઈએ. ધનવાળા ત્યાં પહોંચી શકતા નથી જયાં જ્ઞાનીઓ પહોંચી શકે છે. • ઊલટું ચાલનાર હોડકું અને લુચ્ચાની જીભ બને ભયંકર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108