Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute

Previous | Next

Page 71
________________ જૈન દર્શનમાં નય સમાવેશ અસભૂત વ્યવહારનયમાં થાય છે. ૩૭. અગુણીનય : આ નયની અપેક્ષાએ આત્મદ્રવ્ય અગ્રણી અર્થાત્ માત્ર સાક્ષીભાવ ધરાવે છે. આ નયનો સમાવેશ પરમભાવ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય, શુદ્ધ સંગ્રહ નય અને શુદ્ધનિશ્ચય નયમાં થશે. ૩૮. કર્તનય : રંગનારની જેમ આત્મદ્રવ્ય રાગદ્વેષથી રંગાઈ જનારો છે. તેવું માનનાર આ નયનો સમાવેશ કર્મસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નય, અશુદ્ધ સંગ્રહ નય તથા અશુદ્ધ નિશ્ચય નયમાં થાય છે. ૩૯. અકર્તનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય માત્ર સાક્ષી ભાવ ધરાવે છે. આ નયનો ૩૭ નંબરના પ્રકાર અનુસાર પરમભાવ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય, શુદ્ધ સંગ્રહ નય અને શુદ્ધ નિશ્ચયનયમાં થઈ શકે છે. ૪૦. ભોક્તનય : આ નયની અપેક્ષા આત્મદ્રવ્ય કર્માનુસાર સુખદુઃખ ભોગવનાર છે. આનો સમાવેશ કર્મસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક નયમાં, અશુદ્ધ સંગ્રહનામાં અને અશુદ્ધ નિશ્ચય નયમાં થાય છે. અભોīનય : આત્મદ્રવ્ય કર્મના ફળને ભોગવતો નથી, માત્ર સાક્ષીભાવે જુએ છે. આનો સમાવેશ ૩૭માં પ્રકારની જેમ પરમભાવ ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય તથા શુદ્ધ સંગ્રહ નવમાં તેમજ શુદ્ધનિશ્ચય નયમાં થાય છે. ૪૨. ક્રિયાનય : અનુષ્ઠાન આદિ ક્રિયાની પ્રધાનતા દ્વારા સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તેવું માનનાર આ નયનો સમાવેશ અસભૂત વ્યવહારનયમાં થાય છે. ૪૩. જ્ઞાનનય : આ નયાનુસાર આત્મદ્રવ્ય વિવેક આદિ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરે છે તેવું માનનાર છે. તેનો સમાવેશ ભેદ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક તથા અશુદ્ધ સંગ્રહ નવમાં તેમજ શુદ્ધ નિશ્ચયનયમાં થાય છે. ૪૪. વ્યવહારનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય બંધન અને મુક્તિના દ્વતનું અનુસરણ કરે છે. અનુપચરિત અસભૂત વ્યવહારનયમાં આનો સમાવેશ થાય છે. ૪૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108