Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute

Previous | Next

Page 69
________________ ૫૮ જૈન દર્શનમાં નય ૨૦. ૧૯. અનિત્યનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય રામરાવણની જેમ અનવસ્થાપી દ્રવ્ય છે. પૃથક્ પૃથક્ પર્યાયોની સ્વતંત્ર સત્તા સ્વીકારનાર આ નય પર્યાયાર્થિક ઋજુસૂત્ર અને વ્યવહાર નયમાં સમાવેશ પામે છે (૧૭માં પ્રકારની જેમ). સર્વગતનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય ખુલ્લી આંખોની જેમ સર્વગત છે. આત્મદ્રવ્યની વ્યાપકતા દર્શાવનાર પ્રસ્તુત નય અસભૂત વ્યવહારમાં સમાવેશ પામે છે. ૨૧. અસર્વગતનય : આ નય અનુસાર આત્મદ્રવ્ય મીંચેલી બીડેલી આંખોની જેમ આત્મવર્તી જ છે. આ નયનો સમાવેશ ભેદનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક, સંગ્રહનય અને શુદ્ધ નિશ્ચય નયમાં થાય છે. ૨૨. શૂન્યનય : શૂન્ય ઘરની જેમ આત્મદ્રવ્યને એકલો માને તે શૂન્યનય. આ નયનો સમાવેશ કર્યદ્રવ્ય નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક તથા શુદ્ધ સંગ્રહ અને શુદ્ધ નિશ્ચયનયમાં થઈ શકે. ૨૩. અશૂન્યનય : માણસોથી ભરેલા વાહનની જેમ આત્મદ્રવ્યને સંમિલિત માનનાર આ નયનો સમાવેશ અનુપચરિત અસભૂત વ્યવહાર નયમાં કરી શકાય. ૨૪. જ્ઞાનશેય અદ્વૈતનય : બહુ જ મોટા ઈંધણને કારણે સમૂહરૂપમાં પરિણત અગ્નિ સ્વરૂપ આત્મદ્રવ્યને જ્ઞાનશેય અદ્વૈત રૂપ માનનાર આ નયનો સમાવેશ ભેદનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક તથા સંગ્રહનામાં તેમજ શુદ્ધ નિશ્ચયનયમાં કરી શકાય. ૨૫. જ્ઞાનય દૈતનય : બીજાનાં પ્રતિબિબોથી સંયુક્ત દર્પણની જેમ આત્મદ્રવ્ય જ્ઞાનશેય ત નય સ્વરૂપ છે. આ નયનો સમાવેશ ભેદ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક અને અસભૂત વ્યવહારનયમાં કરી શકાય. ર૬. નિયતિનય : આત્મદ્રવ્યને નિયત સ્વભાવવાળો માનનાર આ નયનો સમાવેશ સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય અને શુદ્ધ નિશ્ચય નયમાં સમાવેશ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108