Book Title: Jain Darshnma Nay
Author(s): Jitendra B Shah
Publisher: B J Institute
View full book text
________________
નયચક્ર અને દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૭૯ જિન-સંસારી પ્રાણિઓ, સિદ્ધ સમોવડિ ગણિઈ રે,
સહજભાવ આગલિ કરી, ભવ પર્યાય ન ગણિઈ રે. ૬૪. અર્થાત્ સંસારના ભવ પર્યાયની વિવક્ષા ન કરી માત્ર સહજ ભાવને જ પ્રધાનરૂપે ગણીએ તો બધા જ સંસારી જીવો સિદ્ધ સમાન છે. આવા ભાવને અકર્મોપાધિ શુદ્ધ દ્રવ્યાર્થિક નય નામ આપવામાં આવ્યું છે.
વળી દેવસેન નયચક્રમાં બીજો ભેદ જણાવતાં કહે છે કે उत्पादव्ययगौणत्वेन सत्ताग्राहकः शुद्ध द्रव्यार्थिको, यथा द्रव्यं नित्यम् ॥
| ઉત્પાદ અને વ્યયને ગૌણ કરી સત્તા ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય-જેમ કે દ્રવ્ય નિત્ય છે. આ વાતને યશોવિજયજીએ ગુજરાતી ભાષામાં સુંદર રીતે અવતરિત કરી છે.
ઉત્પાદ વ્યય ગણતા, સત્તા મુખ્ય જ બીજઈ રે,
ભેદ શુદ્ધ દ્રવ્યાર્થિ, દ્રવ્ય નિત્ય જિમ લીજઈ રે-૬૫ સ્તબકમાં દેવસેન કૃત પંક્તિનું જ ઉદ્ધરણ આપ્યું છે કે ઉત્પાદ્રિવ્ય ખત્વે સત્તા પ્રાહિ? શુદ્ધ દ્રવ્યfથ: દ્રવ્ય નિત્ય છે. માત્ર પર્યાયો પલટાય છે. દ્રવ્ય તો ત્રણેય કાળમાં અવિચલ રહે છે. પુદ્ગલાદિ દ્રવ્યની સત્તા કદાપિ ચલિત થતી નથી. આમ પૂર્વે જણાવેલ નયના પ્રત્યેક ભેદને સુંદર રીતે સહજ શૈલીમાં રજૂ કરવામાં આવેલ છે.
આઠમી ઢાળમાં યશોવિજયજી જણાવે છે કે નય અને ઉપનયના ભેદ દેવસેને નયચક્રમાં જણાવેલ છે. પરંતુ તેમણે જણાવેલ પરંપરામાં દર્શાવેલ ભેદ સાથે શ્વેતામ્બરોનો કોઈ મોટો વિષય-ભેદ નથી. તેમ છતાં ઊલટી પરિભાષા દેખી ખેદ થાય છે. સ્તબકમાં આ જ વાતને દર્શાવતાં એક સુભાષિત પ્રયુક્ત કરેલ છે.
यद्यपि न भवति हानिः परकीयां चरति रासभे द्राक्षाम् ।
असमञ्जसं तु दृष्ट्वा तथापि परिखिद्यते चेतः ॥ અર્થાત્ પરાઈ દ્રાક્ષ ખાતા ગધેડાથી કાંઈ વિશેષ હાનિ થતી નથી છતાં પણ અસંગત પરિસ્થિતિ જોવાથી મનને ખેદ તો થાય જ છે. તેવી રીતે અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108