Book Title: Jain Darshnma Nay Author(s): Jitendra B Shah Publisher: B J InstitutePage 79
________________ જૈન દર્શનમાં નય બીજી ઢાલમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણનું એકેક લક્ષણ, સામાન્યના ઊર્ધ્વતા-સામાન્ય અને તિર્યસામાન્ય એ બે પ્રકારો, ઓઘ શક્તિ અને સમુચિત શક્તિ, દિગંબર મતનું ખંડન, ગુણાર્થિક જ્યની અનુપપત્તિ અને દ્રવ્યાદિના સંજ્ઞા, સંખ્યા અને લક્ષણથી ભેદ એમ વિવિધ બાબતો વિચારાઈ છે. ત્રીજી ઢાલમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં એકાન્ત ભેદ માનવાથી ગુણ-ગુણીભાવનો ઉચ્છેદ, અનવસ્થાદોષ અને વ્યવહારનો નાશ, સંઘ અને દેશ(અવયવોમાં ભેદ માનવાથી બમણો ભાર તેમ જ તૈયાયિક અને યોગાચારના મતનો નિર્દેશ એ બાબતો નિરૂપાઈ છે. ચોથી ઢાલમાં ભેદભેદના વિરોધનો પરિહાર કરાયો છે અને સપ્તભંગીનું સ્વરૂપ વર્ણવાયું છે. પાંચમી ઢાલમાં પ્રમાણ અને નય વચ્ચે ભેદ દર્શાવી દિગંબર માન્યતા મુજબ નવ નય અને ત્રણ ઉપચારનો ઉલ્લેખ કરી, અધ્યાત્મશૈલીએ બે જ નય છે એમ કહી નવ નય પૈકી દ્રવ્યાર્થિક નયના દસ પ્રકારો સમજાવાયા છે. છઠ્ઠી ઢાલમાં નવ નય પૈકી પર્યાયાર્થિકના છ પ્રકારોનું તેમ જ નૈગમાદિ સાત નયોનું સ્વરૂપ વિચારાયું છે. આમ અહીં અવશિષ્ટ આઠ નયોની હકીકત અપાઈ છે. નિંગમના ૩, સંગ્રહના ૨, વ્યવહારના ૨ અને ઋજુસૂત્રના ૨ ભેદ ગણાવી કુલ્લે નયના ૨૮ ભેદનો નિર્દેશ કરાયો છે. સાતમી ઢાલમાં ઉપનયોના પ્રકારો દર્શાવાયા છે. સદ્દભૂત વ્યવહારને પ્રથમ ઉપનયનો ભેદ કહી એના શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારો જણાવાયા છે. ત્યારબાદ અસદૂભૂત વ્યવહારના નવ પ્રકાર ગણાવી અન્ય અપેક્ષાએ એના ત્રણ પ્રકાર દર્શાવાયા છે. વળી ઉપચરિતોપચરિત અસંભૂત વ્યવહારના પણ ત્રણ પ્રકાર સૂચવાયા છે. આઠમી ઢાલમાં નિશ્ચય-નયના બે ભેદ દર્શાવી વ્યવહાર-નયના બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108