Book Title: Jain Adarsh Prasango Part 04
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 13
________________ H૫E‘સમરો મંત્ર ભલો નવકાર શ્રી નમસ્કાર મહામંત્રનો મહિમા અપરંપાર છે. ચૌદ પૂર્વના સારભૂત આ મહામંત્રના પ્રભાવ વગેરેનું પૂરું વર્ણન કરવું ખરેખર અશક્ય છે. શાસ્ત્રોમાં મહામંત્રાધિરાજના મહિમા જણાવતાં અનેક કથાઓ, પ્રસંગો વર્ણવાયેલાં છે. પરંતુ વર્તમાનકાલમાં પણ બનતા ચમત્કારિક અભુત પ્રસંગો આપણી શ્રદ્ધા વધારે છે! ઝાબુઆ(મધ્યપ્રદેશ) ના નિવાસી શ્રાવક જૈન વકીલ પન્નાલાલજી રાઠોડના જીવનમાં બનેલી આ સત્ય ઘટના છે. તેઓ ઈ.સ. ૧૯૭૨માં જબલપુરથી ટ્રેન દ્વારા રતલામ થઈને ક્યાંક જવા માટે નીકળેલા. તે દરમ્યાન રતલામથી એક મુસ્લિમ ફકીર પોતાના સાથીઓ સાથે ગાડીમાં ચડ્યો. તેઓ પરસ્પર કંઈક ધર્મચર્ચા કરી રહ્યા હતા. સુશ્રાવક પનાલાલભાઈએ પણ તેમની વાતો સાંભળી. થોડી વાર પછી તે ફકીરે એક નાનીસરખી ચોપડી કાઢી. એ ચોપડીમાં શ્રી નમસ્કાર મહામંત્ર તેમ જ શ્રી પંચિંદિય સૂત્ર હતાં. આ જોઈ પનાલાલભાઈએ તેઓને પૂછયું કે, આ ચોપડી તો જૈનધર્મની છે; તે તમારી પાસે કેવી રીતે આવી ? ફકીરે કહ્યું કે સામાપો ક્યા રામ હૈ? હસે વોરી રે નહીં ના હૂં! પન્નાલાલભાઈએ હિંદીમાં કહ્યું કે મારું કહેવું એવું નથી. તમે વેશ, ભાષાં, વાતચીત વગેરેથી મુસ્લિમ હો તેમ જણાય છે, અને આ પુસ્તક તો જૈન ધર્મનું છે. હું પોતે જૈન છું અને વર્ષોથી જૈન ધર્મના આ મંત્રનો ઉપાસક છું. તેથી મને જિજ્ઞાસા થઈ કે તમને અમારા આ નવકારમંત્રમાં શ્રધ્ધા છે ? ફકીરે કહ્યું કે, પાપો તેના હૈ સા માર? તો વતાતા Ė પનાલાલભાઈને ચમત્કાર જોવાનો રસ જાગ્યો. પછી બામણિયા સ્ટેશન પર ટ્રેન ઊભી રહેતાં ફકીર વગેરે નીચે ઊતર્યા. ફકીરના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52