Book Title: Jain Adarsh Prasango Part 04
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 23
________________ પ્રભુભકિતથી કેન્સર કેન્સલ મહારાષ્ટ્રના ધૂલિયામાં ૫ વર્ષ પહેલાં એક શ્રાવિકાને ગળામાં મોટી કેન્સરની ગાંઠ થઈ. પછી રોગ વધતો ગયો. છેવટે ઓપરેશનનો નિર્ણય લેવાયો. રોહિણી તપ કરતી તે શ્રાવિકાને ઓપરેશનના દિવસે ઉપવાસ આવતો હતો, તેથી તેમણે કહ્યું “ડૉક્ટર સાહેબ ! હું મોઢેથી કોઈ દવા તે દિવસે નહીં લઈ શકું ! મારે ઉપવાસ છે !' મેજર ઓપરેશન હોવાથી ડૉક્ટરે દવા વિના ઓપરેશનની ના પાડી. તેથી ૧૫ દિવસ પછી ઓપરેશન કરવાનું નક્કી થયું. ઉપવાસ પૂર્વેના અઠવાડિયામાં તબિયત વધારે બગડી. કોઈ વખત રસ્તામાં ચક્કર આવી જતાં. બ્લેન પડી પણ જતાં, ઉપવાસના દિવસે બ્લેન ઉલ્લાસથી પૂજા કરવા ગયાં. તેમને પૂજામાં બે કલાક તો રોજ થતા. પણ એ દિવસે ભકિતમાં ખોવાઈ ગયા ! પૂજા કરતાં ચાર કલાક વીતી ગયા. પતિને થયું કે ઘણી વાર થઈ, હજી શ્રાવિકા આવ્યા નથી. તો શું રસ્તામાં ચક્કર આવ્યા હશે ? એ ચિંતાથી શોધતા આવ્યા. પત્નીને દેરાસરમાં અતિ સ્વસ્થતાથી ચામર-પૂજા કરતાં જોયાં. ભાવવિભોર બનીને પત્નીને પ્રભુ પાસે નાચતાં જોઈ જ રહ્યા. “અન્યથા શvi નાતિ, તારા શરdi અમ; तस्मात् कारु ण्यभावेन, रक्ष रक्ष जिनेश्वर । " આ શ્લોક પૂજા પછી ભાવથી વારંવાર ગદ્ગદ્ હૈયે બોલે છે. પછી પૂજા કરી બહાર નીકળતા ન્હનને દેરાસરના ઉંબરે શ્રાવક મળ્યા; કહ્યું, “તમારી ચિંતા થતી હતી. તમને લેવા આવ્યો છું.” ત્યારે પહેલાં જેટલી જ મોટી ગાંઠ શ્રાવકે પણ જોઈ. વ્હેન કહે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52