Book Title: Hriday Pradip Shat Trinshika
Author(s): Mrigendravijay, Nileshwari Kothari
Publisher: Jain Yog Foundation

View full book text
Previous | Next

Page 47
________________ આમ જોતાં જોતાં જ જીવન પુરૂં કરે છે. આ જગતના પ્રાંગણમાં ત્રણ પદાર્થ તરફ પ્રાણીને વધુ આકર્ષણ રહયું છે તે તરફ અહિં અંગુલિનિર્દેશ થયો છે. ૧ કંચન (ધન) ૨ કામિની (સ્ત્રી) ૩ કામના (વિષય લોલુપતા) જ્ઞાનની નજરથી એનું મૂલ્યાંકન કરતાં લાગે છે કે અર્થ (ધન) જ બધાં પાપો – અનિષ્ટોનું મૂળ છે. પાપનો બાપ પણ એજ લોભ છે. આદિ શંકરાચાર્ય કહે છે કે – સમર્થનર્થ માવા નિત્યં. અર્થધનને તું અનર્થનું કારણ સમજ. તે પછી સ્ત્રી સંબંધી વાતોને - સ્ત્રી કથાને મૃતક સાથે સરખાવીને તેને નિષ્ણાણ ગણી છે. શંકરાચાર્યજી કહે છે. તાજુ તેMપિ નાસ: સા માઁ નરકૃતિઃ જે માનવ કંચન અને કામિનીમાં આસકત નથી તે મનુષ્યની આકૃતિમાં પણ સાક્ષાત્ શંકર છે આજ ભાવને વ્યકત કરતાં શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે : નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન, ગણે કાષ્ટની પૂતળી, તે ભગવાન સમાન. મનુષ્યને આપેલું આ બિરૂદ ખરેખર ખુબજ વિશિષ્ટ છે ત્રીજો નંબર કામનાનો છે. કામનામાં મુખ્યત્વે વિષયેચ્છા હોય છે. વિષ અને વિષ્ય વચ્ચે માત્ર એક જ અક્ષરનો ફેર છે. વિષ કરતાં વિષય વિશેષ હાનિકારક છે. કારણ ઝેર પીવાથી મૃત્યુ એકવાર થાય છે જ્યારે વિષયો અનેકવાર મારે છે. જ્ઞાની પુરૂષોનું આ વિશ્લેષણ આત્મહિત માટે ખુબજ ઉપયોગી છે. ૪૬

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124