________________
આચારાંગસૂત્રમાં જણાવ્યું છે કે
ર્વ , પાળિો સારં ગં ન હિંસ સિંચT” જ્ઞાની હોવાનો સાર એટલો જ કે કોઈ પણ જીવની હિંસા કરવી નહીં મહાભારત કહે છે કે –
श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वा चैवावधार्यताम् ।
શાત્મનઃ પ્રતિનિ , પાં સમારેત્ | | સૌ પ્રથમ ધર્મશાસ્ત્રને સાંભળો, સાંભળીને પછી સમજો. સમજ્યાનો સાર એજ કે - બીજા જીવને દુઃખ થાય કે તેની લાગણી દુભાય તેવું વર્તન ન કરો. સંત કબીરના શબ્દો છે :
पोथी पढ़ कर जग मरा, पंडित भया न कोई।
ढाई अक्षर प्रेमका, पढ़े सो पंडित होय ॥ પુસ્તકો ભણીને કે ડીગ્રી લઈને પ્રોફેસર બની શકાતું નથી. જે પ્રેમ ના અઢી અક્ષરને સમજે છે તે જ સાચો પંડિત છે. પ્રેમ-મૈત્રીભાવ જ્ઞાનનું પ્રયોગાત્મક રૂપ છે. જો તમો રણ-બિમાર છો અને તમો ઇચ્છો છો કે - તમારી વ્યાધિ - બિમારી જડમૂળથી ક્ષય થાય તો બીજી ઔષધિઓ - દવાઓ ન લેતાં ફકત સંજીવની નું જ સેવન કરજો. તેજ તમારી વ્યાધિ દૂર કરી શકશે. આ સંજીવની - જડીબૂટીના ઉદાહરણથી ગ્રંથકારે પોતાના કહેવાના આશય - અભિપ્રાય નું સુંદર રીતે નિરૂપણ કર્યું છે.